મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ
SHARE
મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ
મોરબીના સ્વ. ઓ.આર.પટેલ આ નામ જ પૂરતું છે, જે તેઓના જીવન અને કવનનો પડઘો પાડે છે. દેશ-વિદેશમાં ઘડિયાળ ક્રાંતિથી પ્રખ્યાત ઓ.આર.પટેલ કેન્દ્ર સરકારનાં અભિયાનને સાથ આપવા માટે જળક્રાંતિ કરી, લક્ષ્મી સ્વરૂપા દીકરીઓને ભણતર અને ગણતરરૂપી ભાથું બંધાવીને જીવન ક્રાંતિ કરી આપી છે મોરબીની વી.સી.હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષક ઓ.આર.પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે અને સંપૂર્ણપણે મહિલાઓથી જ ચાલતાં ઉદ્યોગનો શુભારંભ કર્યો હતી શિસ્ત, સંયમ, શ્રદ્ધાના પથ પર કદમ મૂકીને તેઓએ અન્યોને જીવનલક્ષી વ્યવહારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમનો અવાજનો રણકો જ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનતુ સ્વભાવનું પ્રતિબિંબ પાડતો હતો. આજના દિવસે આદરણીય કેળવણીકાર અને સમાજનિષ્ઠ વ્યક્તિત્વ ઓ.આર.પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સાદર ભાવાંજલિ અર્પીએ - તેમણે સ્થાપેલા કાર્યનિષ્ઠાનાં પથ પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો.