મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ


SHARE













મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ

મોરબીના સ્વ. ઓ.આર.પટેલ આ નામ જ પૂરતું છે, જે તેઓના જીવન અને કવનનો પડઘો પાડે છે. દેશ-વિદેશમાં ઘડિયાળ ક્રાંતિથી પ્રખ્યાત ઓ.આર.પટેલ કેન્દ્ર સરકારનાં અભિયાનને સાથ આપવા માટે જળક્રાંતિ કરી, લક્ષ્મી સ્વરૂપા દીકરીઓને ભણતર અને ગણતરરૂપી ભાથું બંધાવીને જીવન ક્રાંતિ કરી આપી છે મોરબીની વી.સી.હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષક ઓ.આર.પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે અને સંપૂર્ણપણે મહિલાઓથી જ ચાલતાં ઉદ્યોગનો શુભારંભ કર્યો હતી શિસ્ત, સંયમ, શ્રદ્ધાના પથ પર કદમ મૂકીને તેઓએ અન્યોને જીવનલક્ષી વ્યવહારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમનો અવાજનો રણકો જ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનતુ સ્વભાવનું પ્રતિબિંબ પાડતો હતો. આજના દિવસે આદરણીય કેળવણીકાર અને સમાજનિષ્ઠ વ્યક્તિત્વ ઓ.આર.પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સાદર ભાવાંજલિ અર્પીએ - તેમણે સ્થાપેલા કાર્યનિષ્ઠાનાં પથ પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો.






Latest News