ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ


SHARE













મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ

મોરબીના સ્વ. ઓ.આર.પટેલ આ નામ જ પૂરતું છે, જે તેઓના જીવન અને કવનનો પડઘો પાડે છે. દેશ-વિદેશમાં ઘડિયાળ ક્રાંતિથી પ્રખ્યાત ઓ.આર.પટેલ કેન્દ્ર સરકારનાં અભિયાનને સાથ આપવા માટે જળક્રાંતિ કરી, લક્ષ્મી સ્વરૂપા દીકરીઓને ભણતર અને ગણતરરૂપી ભાથું બંધાવીને જીવન ક્રાંતિ કરી આપી છે મોરબીની વી.સી.હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષક ઓ.આર.પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે અને સંપૂર્ણપણે મહિલાઓથી જ ચાલતાં ઉદ્યોગનો શુભારંભ કર્યો હતી શિસ્ત, સંયમ, શ્રદ્ધાના પથ પર કદમ મૂકીને તેઓએ અન્યોને જીવનલક્ષી વ્યવહારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમનો અવાજનો રણકો જ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનતુ સ્વભાવનું પ્રતિબિંબ પાડતો હતો. આજના દિવસે આદરણીય કેળવણીકાર અને સમાજનિષ્ઠ વ્યક્તિત્વ ઓ.આર.પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સાદર ભાવાંજલિ અર્પીએ - તેમણે સ્થાપેલા કાર્યનિષ્ઠાનાં પથ પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો.






Latest News