મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી


SHARE













મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી

મોરબીમાં સરકારના નિયમનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને બાંધકામ કરવામાં આવે છે અને બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ વગરના ફ્લેટ, મકાન દુકાન કે અન્ય કોઈપણ મિલ્કતોના દસ્તાવેજો કરી આપવામાં આવે છે જેથી લોકો બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ ન બને તે માટે મોરબીના ચીફ ઓફિસર દ્વારા સબ રજિસ્ટ્રારને નોટિસ ફટકારીને આવી મિલકતોના દસ્તાવેજ કરવાની પ્રવૃત્તિ બંધ કરવા જણાવ્યુ છે અને તેમાં ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે

ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ-૨૦૨૨ વટહુકમ અન્વયે શહેરી વિસ્તારમાં ઓનલાઇન કે ઓફલાઈન બાંધકામ મંજૂરી ન હોય અને કંપ્લીશન સર્ટિફિકેટ ન હોય તેવી રહેણાંક, વાણિજ્ય કે અન્ય કોઈપણ મિલ્કતના દસ્તાવેજ નોંધણી ઉપર પ્રતિબંધ લાદયો છે તો પણ મોરબીમાં સબ રજીસ્ટ્રાર દ્વારા ત્રણથી ચાર દિવસથી ગેરકાયદે બાંધકામોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે અને આ બાબત ચીફ ઓફિસરના ધ્યાને આવી છે જેથી તેને સબ રજીસ્ટ્રારને લેખિત નોટિસ ફટકારી છે.

હાલમાં જે નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, “આપના દ્વારા ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ -૨૦૨૨ વટહુકમનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને સરકારની સપષ્ટ સૂચના હોવા છતાં આપની કચેરી દ્વારા આવા ગેરકાયદે બાંધકામોને સ્વ ઘોષણા પત્રક લઈને નોંધણી કરવામાં આવે છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા ૧/૧૦/૨૨ ની સ્થિતિએ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની યોજનાની અમલવારી કરવામાં મોરબીમાં અંતરાયો ઉભા થવાની શક્યતા છે અને યોજનાની યોગ્ય અમલવારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવાનો ખતરો છે.






Latest News