મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી


SHARE













મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી

મોરબીમાં સરકારના નિયમનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને બાંધકામ કરવામાં આવે છે અને બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ વગરના ફ્લેટ, મકાન દુકાન કે અન્ય કોઈપણ મિલ્કતોના દસ્તાવેજો કરી આપવામાં આવે છે જેથી લોકો બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ ન બને તે માટે મોરબીના ચીફ ઓફિસર દ્વારા સબ રજિસ્ટ્રારને નોટિસ ફટકારીને આવી મિલકતોના દસ્તાવેજ કરવાની પ્રવૃત્તિ બંધ કરવા જણાવ્યુ છે અને તેમાં ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે

ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ-૨૦૨૨ વટહુકમ અન્વયે શહેરી વિસ્તારમાં ઓનલાઇન કે ઓફલાઈન બાંધકામ મંજૂરી ન હોય અને કંપ્લીશન સર્ટિફિકેટ ન હોય તેવી રહેણાંક, વાણિજ્ય કે અન્ય કોઈપણ મિલ્કતના દસ્તાવેજ નોંધણી ઉપર પ્રતિબંધ લાદયો છે તો પણ મોરબીમાં સબ રજીસ્ટ્રાર દ્વારા ત્રણથી ચાર દિવસથી ગેરકાયદે બાંધકામોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે અને આ બાબત ચીફ ઓફિસરના ધ્યાને આવી છે જેથી તેને સબ રજીસ્ટ્રારને લેખિત નોટિસ ફટકારી છે.

હાલમાં જે નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, “આપના દ્વારા ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ -૨૦૨૨ વટહુકમનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને સરકારની સપષ્ટ સૂચના હોવા છતાં આપની કચેરી દ્વારા આવા ગેરકાયદે બાંધકામોને સ્વ ઘોષણા પત્રક લઈને નોંધણી કરવામાં આવે છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા ૧/૧૦/૨૨ ની સ્થિતિએ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની યોજનાની અમલવારી કરવામાં મોરબીમાં અંતરાયો ઉભા થવાની શક્યતા છે અને યોજનાની યોગ્ય અમલવારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવાનો ખતરો છે.






Latest News