મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી


SHARE







મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી

મોરબીમાં સરકારના નિયમનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને બાંધકામ કરવામાં આવે છે અને બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ વગરના ફ્લેટ, મકાન દુકાન કે અન્ય કોઈપણ મિલ્કતોના દસ્તાવેજો કરી આપવામાં આવે છે જેથી લોકો બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ ન બને તે માટે મોરબીના ચીફ ઓફિસર દ્વારા સબ રજિસ્ટ્રારને નોટિસ ફટકારીને આવી મિલકતોના દસ્તાવેજ કરવાની પ્રવૃત્તિ બંધ કરવા જણાવ્યુ છે અને તેમાં ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે

ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ-૨૦૨૨ વટહુકમ અન્વયે શહેરી વિસ્તારમાં ઓનલાઇન કે ઓફલાઈન બાંધકામ મંજૂરી ન હોય અને કંપ્લીશન સર્ટિફિકેટ ન હોય તેવી રહેણાંક, વાણિજ્ય કે અન્ય કોઈપણ મિલ્કતના દસ્તાવેજ નોંધણી ઉપર પ્રતિબંધ લાદયો છે તો પણ મોરબીમાં સબ રજીસ્ટ્રાર દ્વારા ત્રણથી ચાર દિવસથી ગેરકાયદે બાંધકામોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે અને આ બાબત ચીફ ઓફિસરના ધ્યાને આવી છે જેથી તેને સબ રજીસ્ટ્રારને લેખિત નોટિસ ફટકારી છે.

હાલમાં જે નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, “આપના દ્વારા ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ -૨૦૨૨ વટહુકમનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને સરકારની સપષ્ટ સૂચના હોવા છતાં આપની કચેરી દ્વારા આવા ગેરકાયદે બાંધકામોને સ્વ ઘોષણા પત્રક લઈને નોંધણી કરવામાં આવે છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા ૧/૧૦/૨૨ ની સ્થિતિએ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની યોજનાની અમલવારી કરવામાં મોરબીમાં અંતરાયો ઉભા થવાની શક્યતા છે અને યોજનાની યોગ્ય અમલવારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવાનો ખતરો છે.






Latest News