મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો


SHARE











અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના જેલ રોડ ઉપર લીલા ઘાસચારાનો વાળો રાખીને ત્યાં રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લીલૂ ઘાસ નાખતા વેપારી સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે શહેરના સનાડા, નવલખી રોડ તેમજ બેઠા પુલ પાસે અને અન્ય જગ્યાએ રોડ રસ્તાની આસપાસમાં આવી રીતે લીલા ઘાસના વાડા રાખીને અકસ્માત સર્જાય તેવી રીતે લીલું ઘાસ નાખનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેલ રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં લીલા ઘાસચારાનો વાડો રાખીને ત્યાંથી લીલા ઘાસચારાનું વેચાણ કરતા વેપારી જગદીશભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. લખધીરવાસ શેરી નં-૩ વાળા ની સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે અને આ વેપારી દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે લીલુ ઘાસ નાખીને તેનો વેપાર કરવામાં આવતો હતો જેથી અકસ્માતનો બનાવ બને તેવી શક્યતા હોય તેની સામે હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોકે મોરબી શહેરના સનાળા રોડ, નવલખી રોડ, સામાકાંઠે બેઠા પુલ ઉપર અને અન્ય જગ્યાએ આવી જ રીતે રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસના ઢગલા કરીને ઘાસચારાનો વેપાર કરવામાં આવતો હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે અને ત્યાં રજડતા ઢોર ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા છે જેથી રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવાની કામગીરી કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News