ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો


SHARE













અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના જેલ રોડ ઉપર લીલા ઘાસચારાનો વાળો રાખીને ત્યાં રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લીલૂ ઘાસ નાખતા વેપારી સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે શહેરના સનાડા, નવલખી રોડ તેમજ બેઠા પુલ પાસે અને અન્ય જગ્યાએ રોડ રસ્તાની આસપાસમાં આવી રીતે લીલા ઘાસના વાડા રાખીને અકસ્માત સર્જાય તેવી રીતે લીલું ઘાસ નાખનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેલ રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં લીલા ઘાસચારાનો વાડો રાખીને ત્યાંથી લીલા ઘાસચારાનું વેચાણ કરતા વેપારી જગદીશભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. લખધીરવાસ શેરી નં-૩ વાળા ની સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે અને આ વેપારી દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે લીલુ ઘાસ નાખીને તેનો વેપાર કરવામાં આવતો હતો જેથી અકસ્માતનો બનાવ બને તેવી શક્યતા હોય તેની સામે હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોકે મોરબી શહેરના સનાળા રોડ, નવલખી રોડ, સામાકાંઠે બેઠા પુલ ઉપર અને અન્ય જગ્યાએ આવી જ રીતે રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસના ઢગલા કરીને ઘાસચારાનો વેપાર કરવામાં આવતો હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે અને ત્યાં રજડતા ઢોર ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા છે જેથી રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવાની કામગીરી કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News