મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો


SHARE









અકસ્માત પહેલા અગમચેતી: મોરબીમાં જાહેરમાં લીલો ઘાસચારાનો નાખતા વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના જેલ રોડ ઉપર લીલા ઘાસચારાનો વાળો રાખીને ત્યાં રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લીલૂ ઘાસ નાખતા વેપારી સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે શહેરના સનાડા, નવલખી રોડ તેમજ બેઠા પુલ પાસે અને અન્ય જગ્યાએ રોડ રસ્તાની આસપાસમાં આવી રીતે લીલા ઘાસના વાડા રાખીને અકસ્માત સર્જાય તેવી રીતે લીલું ઘાસ નાખનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેલ રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં લીલા ઘાસચારાનો વાડો રાખીને ત્યાંથી લીલા ઘાસચારાનું વેચાણ કરતા વેપારી જગદીશભાઈ બાબુભાઈ ડાંગર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. લખધીરવાસ શેરી નં-૩ વાળા ની સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે અને આ વેપારી દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે લીલુ ઘાસ નાખીને તેનો વેપાર કરવામાં આવતો હતો જેથી અકસ્માતનો બનાવ બને તેવી શક્યતા હોય તેની સામે હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોકે મોરબી શહેરના સનાળા રોડ, નવલખી રોડ, સામાકાંઠે બેઠા પુલ ઉપર અને અન્ય જગ્યાએ આવી જ રીતે રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસના ઢગલા કરીને ઘાસચારાનો વેપાર કરવામાં આવતો હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે અને ત્યાં રજડતા ઢોર ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા છે જેથી રોડ રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવાની કામગીરી કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News