મોરબી દુર્ઘટનામાં મહંત સ્વામી મહારાજે બચાવ કાર્યવાહીમાં સંતો-સ્વયંસેવકોને જોડ્યા
મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર
મોરબીમાં ઝૂલતા પૂલને કાર્યરત કરવામાં આવ્યો ત્યાર પહેલા તેના યુઝ માટેની પરિમિશન લેવામાં આવી ન હતી અને સ્ટ્ર્ક્ચરને વાપરવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી અને રિનોવેશન બાદ પુલને વાપરવા માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે તેવું પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું.
ઝૂલતા પૂલ ઉપર રવિવારે ઘણા લોકો પુલ ઉપર હતા ત્યારે ઉલ તૂટી ગયો હતો અને અનેક લોકોના મોત થયા છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ ઓરેવા ટ્રસ્ટ દ્વારા તેનું વેરિફિકેશન કર્વમાં આવ્યું ન હતું અને ગંભીર બેદરકારી રાખીને આ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને પુલ તૂટ્યો છે આટલું જ નહીં પરંતુ આ પુલ ઉપર કેટલા લોકો એકીસાથે પસાર થઈ શકે છે તે અંગેની કોઈ જાણકારી ત્યાં કામ કરતાં લોકો પાસે હતી નહીં અને ધડોધડ લોકોને પુલ ઉપર મોકલવામાં આવતા હતા જેથી કરીને એકીસાથે વધુ લોકો પુલ ઉપર આવી જતાં આ દુર્ઘટના બની છે તેવું કહી તો પણ અતિશયોક્તિ નથી.