મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહા પંચાયત, અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી


SHARE









વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા

 સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેર ખાતે અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી પરમપૂજય ભાવચંદ્રજી સ્વામી આદીથાણા શેષકાળમાં પધારતા સ્થાનકવાસી જૈન સંઘમાં ધર્મોલ્લાસ છવાયો.

 શાંત પરમ હિતકારી, સંત ચરણ સુખકારી, સંતકૃપાની બલીહારી એ ઉકિત મુજબ પ.પૂ. આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂ.ડો.શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પૂ.શ્રી વિવેકચંદ્રજી સ્વામી પૂ.શ્રી અરિહંતચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વર્ધમાનજી સ્વામી આદી ઠાણા-2 પધારતા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેરના આંગણે 16 દિવસની સ્થિરતા દરમિયાન વ્યાખ્યાન, રાત્રી પ્રવચન, તપારાધનામાં યુવાનો તથા સકળ સંઘે ખુબ સુંદર લાભ લીધો હતો તેમજ પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના, પાસઠીયા યંત્ર આરાધનામાં પર્યુષણ પર્વ જેવો ઐતિહાસિક માહોલ રચાયો હતો.

રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના પાવન સાન્નિધ્યમાં ઉપસ્થિત રહી તેમના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આ પવિત્ર અવસરે સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરીને ભાવભર્યું સન્માન વ્યક્ત કર્યું તથા તેમના શુભ આશીર્વાદ મેળવ્યા હતા. #morbi #મોરબી 






Latest News