હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી


SHARE







વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા

 સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેર ખાતે અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી પરમપૂજય ભાવચંદ્રજી સ્વામી આદીથાણા શેષકાળમાં પધારતા સ્થાનકવાસી જૈન સંઘમાં ધર્મોલ્લાસ છવાયો.

 શાંત પરમ હિતકારી, સંત ચરણ સુખકારી, સંતકૃપાની બલીહારી એ ઉકિત મુજબ પ.પૂ. આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂ.ડો.શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, પૂ.શ્રી વિવેકચંદ્રજી સ્વામી પૂ.શ્રી અરિહંતચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વર્ધમાનજી સ્વામી આદી ઠાણા-2 પધારતા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેરના આંગણે 16 દિવસની સ્થિરતા દરમિયાન વ્યાખ્યાન, રાત્રી પ્રવચન, તપારાધનામાં યુવાનો તથા સકળ સંઘે ખુબ સુંદર લાભ લીધો હતો તેમજ પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના, પાસઠીયા યંત્ર આરાધનામાં પર્યુષણ પર્વ જેવો ઐતિહાસિક માહોલ રચાયો હતો.

રાજ્યસભાના સાંસદ તથા વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના પાવન સાન્નિધ્યમાં ઉપસ્થિત રહી તેમના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આ પવિત્ર અવસરે સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરીને ભાવભર્યું સન્માન વ્યક્ત કર્યું તથા તેમના શુભ આશીર્વાદ મેળવ્યા હતા. #morbi #મોરબી 






Latest News