મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો


SHARE









મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો

ભારતમાં જે જ ઝૂલતા પુલ છે તેમાં એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ હતો અને આપુલનું રિનોવેશન કરીને નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જો કે, માત્ર પાંચ દિવસમાં રવિવારની સાંજે જયારે ૪૦૦ થી વધુ લોકો આ પુલ ઉપર હતા ત્યારે અચાનક જ આ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને નિર્દોષ આનંદ લેવા માટે પરિવાર સાથે આવેલા લોકો માટે આ પુલ કાલમુખો બની રહ્યો હતો તે હકકીત છે.

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ગત માર્ચ માહિનામાં મોરબીના ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ હતી અને ૧૫ વર્ષ સુધી આ પુલની તમામ જવાબદારી સાથે આ પુલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતી જેથી કરીને  જર્જરીત ઝૂલતા પુલને રીપેર કરવા માટે છેલ્લા સાત મહિનાથી બંધ કરવામાં આવેલ હતો જો કે, બેસતા વર્ષે જ આ રીપેરીંગ કામ પૂરું થયેલ હોવાથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને દરરોજ સરેરાશ ત્રણ હજાર જેટલા લોકો છેલ્લા પાંચ દિવસમાં આ પુલ ઉપર આવેલ હતા અને છઠ્ઠના દિવસે સાંજના સાડા છ વાગ્યે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને આ પુલ ઉપર પરિવાર સાથે હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી ૧૩૦ થી વધુ લોકો માટે આ પુલ કામુખો સાબિત થયો છે અને સાંજે સાત વાગ્યે બનેલ દુર્ઘટના પછી નદીમાં પડી ગયેલા લોકોની લાશોને બહાર કાઢવા માટેની કામગીરી બીજા દિવસે સવાર સુધી કરવામાં આવી તો પણ હજુ નદીમાંથી લાશો નીકળે છે જેથી લોકોનો મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે.






Latest News