હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા


SHARE







મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા

જૂની અદાવત : બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા, ફાયરિંગથી ઘવાયેલાને રાજકોટ સિવિલમાં રીફર કરાયો

માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો હતો. બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા થઈ હતી. બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા.ફાયરિંગથી ઘવાયેલને રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો

વધુમાં મળતી માહિતી અનુસાર, ઈમરાન અબ્બાસભાઈ માલાણી (ઉંમર વર્ષ 18) અને ઈદ્રીશ યાસીનભાઈ માલાણી (ઉંમર વર્ષ 30, (રહે. બંને વાંઢ ઝખડીયા વિસ્તાર, માળીયા મિયાણા, જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ માળીયાથી ઝખડિયા તરફ જતા હતા ત્યારે વાડી વિસ્તારમાં ગુલાબ જેડા, દિનમહંમદ જેડા તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી બંદૂક વડે ફાયરિંગ કરેલ અને માર મારેલ.બંનેને ઈજા થતાં સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં ઇમરાનને ફાયરિંગથી પગમાં ઈજા થઈ હોય, વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, બંને યુવાનો માળીયાથી પોતાના ઘર તરફ જતા હતા.ત્યારે આરોપીઓ કારમાં આવ્યા હતા.પ્રથમ બાઈક સાથે પાછળથી કાર અથડાવી હતી.પછી કાર ઊભી રાખીને કારમાંથી ઉતરીને બંને યુવાનોને પાઇપ વડે માર માર્યો હતો,અને ઇજાગ્રસ્તના કહેવા મુજબ બંદૂકથી ફાયરિંગ કર્યું હતું.જેમાં ઇમરાનને પગમાં છરા લાગી ગયા હતા.ઇજાગ્રસ્તના પરિવારજનોના જણાવ્યા મુજબ બે એક મહિના પહેલા સામા વાળા સાથે ઇજાગ્રસ્તોને બોલાચાલી થઈ હતી.આ ઝઘડાનો ખાર રાખીને હાલનો હુમલો કર્યો હોવાનું અનુમાન છે.માળીયા મીયાણા પોલીસે ફાયરિંગના બનાવમાં કેટલી હકીકત છે તે જાણવા પણ તપાસ હાથ ધરી છે.  #morbi #મોરબી 






Latest News