મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહા પંચાયત, અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા


SHARE









મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા

જૂની અદાવત : બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા, ફાયરિંગથી ઘવાયેલાને રાજકોટ સિવિલમાં રીફર કરાયો

માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો હતો. બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા થઈ હતી. બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા.ફાયરિંગથી ઘવાયેલને રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો

વધુમાં મળતી માહિતી અનુસાર, ઈમરાન અબ્બાસભાઈ માલાણી (ઉંમર વર્ષ 18) અને ઈદ્રીશ યાસીનભાઈ માલાણી (ઉંમર વર્ષ 30, (રહે. બંને વાંઢ ઝખડીયા વિસ્તાર, માળીયા મિયાણા, જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ માળીયાથી ઝખડિયા તરફ જતા હતા ત્યારે વાડી વિસ્તારમાં ગુલાબ જેડા, દિનમહંમદ જેડા તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી બંદૂક વડે ફાયરિંગ કરેલ અને માર મારેલ.બંનેને ઈજા થતાં સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં ઇમરાનને ફાયરિંગથી પગમાં ઈજા થઈ હોય, વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, બંને યુવાનો માળીયાથી પોતાના ઘર તરફ જતા હતા.ત્યારે આરોપીઓ કારમાં આવ્યા હતા.પ્રથમ બાઈક સાથે પાછળથી કાર અથડાવી હતી.પછી કાર ઊભી રાખીને કારમાંથી ઉતરીને બંને યુવાનોને પાઇપ વડે માર માર્યો હતો,અને ઇજાગ્રસ્તના કહેવા મુજબ બંદૂકથી ફાયરિંગ કર્યું હતું.જેમાં ઇમરાનને પગમાં છરા લાગી ગયા હતા.ઇજાગ્રસ્તના પરિવારજનોના જણાવ્યા મુજબ બે એક મહિના પહેલા સામા વાળા સાથે ઇજાગ્રસ્તોને બોલાચાલી થઈ હતી.આ ઝઘડાનો ખાર રાખીને હાલનો હુમલો કર્યો હોવાનું અનુમાન છે.માળીયા મીયાણા પોલીસે ફાયરિંગના બનાવમાં કેટલી હકીકત છે તે જાણવા પણ તપાસ હાથ ધરી છે.  #morbi #મોરબી 






Latest News