મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE





ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડી પાસે પાકીટની ચોરી કરી હોવાની શંકા રાખીને યુવાનને માથામાં બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે નામ જોગ હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ તાલુકાના રતનપર ગામે રહેતા અશોકસિંહ હનુભા ઝાલા (40) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વાડીએ મજૂરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસાએ આરોપીનું પાકીટ ચોરી કર્યું હોવાની શંકા વહેમ રાખીને આરોપીએ રવિભાઈને માથામાં તથા શરીરને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા  (ઉ.વ.૪૨) રહે.મોરબી વિસીપરા કુલીનગર ૧ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે ઉલેખનીય છે કે, યુવાનની હત્યા કરનારા આરોપીએ યુવાનને માર માર્યા બાદ તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યારે ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હત્યાના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાણીબેન ગોવિંદભાઈ પરમાર (35) નામના મહિલાને વાસંગી દાદાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News