મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા
મોરબીના દરબારગઢ પાસે સોનીકામની દુકાનમાં શોટ સર્કીટથી આગ
SHARE
મોરબીના દરબારગઢ પાસે સોનીકામની દુકાનમાં શોટ સર્કીટથી આગ
મોરબી શહેરની સોની બજારમાં આવેલ સોની વેપારીની દુકાનમાં આગ લાગતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીની સોની બજારમાં વેરાઈ શેરીના નાકે આવેલ ગોકુલ કાસ્ટિંગ નામની સોની કામની દુકાનમાં વાયરીંગ બળી જતા શોટ સર્કીટને કારણે આગ લાગી હતી જેથી દુકાનદાર ધીરેનભાઈ પારેખ અને નિરવભાઈ પારેખ દ્વારા તે વિસ્તાર ના આગેવાન અને પૂર્વ પાલિકા પ્રમુખ અનુપસિંહ જાડેજા દ્વારા મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.