મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા
SHARE
મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા
મોરબીના જુલતા પુલના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઝુલતા તૂટી પડવાના બનેલ બનાવમાં આશરે ૧૪૦ થી વધુ લોકોના સત્તાવાર રીતે મોત નોંધાયા હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જે દરમિયાનમાં વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલની ઉપરોક્ત ઘટનામાં જામનગર જિલ્લાના જુદા જુદા બે ગામના મળીને ૧૦ લોકોના ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ જામનગરના જાલીયાદેવાણી અને ખરેડી એમ બે ગામના કુલ મળીને ૧૦ જેટલા લોકોના મોરબીના ઉપરોક્ત જળ હોનારતમાં ભોગ લેવાયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીયા ગામના જાડેજા પરિવારના સાત લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (૩૦), શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૯), જયાબા ગંભીરસિંહ જાડેજા (૫૫), અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૨૬), ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૭), દેવાંશીબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૬) અને દેવર્ષિબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૫) નો સમાવેશ થાય છે તેમજ અન્ય ત્રણ હદભાગીઓ જામનગરના ખરેડી ગામના હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.