મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા


SHARE









મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા

મોરબીના જુલતા પુલના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઝુલતા તૂટી પડવાના બનેલ બનાવમાં આશરે ૧૪૦ થી વધુ લોકોના સત્તાવાર રીતે મોત નોંધાયા હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જે દરમિયાનમાં વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલની ઉપરોક્ત ઘટનામાં જામનગર જિલ્લાના જુદા જુદા બે ગામના મળીને ૧૦ લોકોના ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ જામનગરના જાલીયાદેવાણી અને ખરેડી એમ બે ગામના કુલ મળીને ૧૦ જેટલા લોકોના મોરબીના ઉપરોક્ત જળ હોનારતમાં ભોગ લેવાયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીયા ગામના જાડેજા પરિવારના સાત લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (૩૦), શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૯), જયાબા ગંભીરસિંહ જાડેજા (૫૫), અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૨૬), ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૭), દેવાંશીબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૬) અને દેવર્ષિબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૫) નો સમાવેશ થાય છે તેમજ અન્ય ત્રણ હદભાગીઓ જામનગરના ખરેડી ગામના હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.






Latest News