ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા


SHARE











મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા

મોરબીના જુલતા પુલના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઝુલતા તૂટી પડવાના બનેલ બનાવમાં આશરે ૧૪૦ થી વધુ લોકોના સત્તાવાર રીતે મોત નોંધાયા હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જે દરમિયાનમાં વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલની ઉપરોક્ત ઘટનામાં જામનગર જિલ્લાના જુદા જુદા બે ગામના મળીને ૧૦ લોકોના ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ જામનગરના જાલીયાદેવાણી અને ખરેડી એમ બે ગામના કુલ મળીને ૧૦ જેટલા લોકોના મોરબીના ઉપરોક્ત જળ હોનારતમાં ભોગ લેવાયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીયા ગામના જાડેજા પરિવારના સાત લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (૩૦), શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૯), જયાબા ગંભીરસિંહ જાડેજા (૫૫), અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૨૬), ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૭), દેવાંશીબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૬) અને દેવર્ષિબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૫) નો સમાવેશ થાય છે તેમજ અન્ય ત્રણ હદભાગીઓ જામનગરના ખરેડી ગામના હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.






Latest News