મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો
Morbi Today
મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો
SHARE
મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો
મોરબીમાં મચ્છુ જળ હોનારત સમાન ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૪૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મોરબી એકજૂટ થઈ ગયો હતો અને સેવા કામમાં લાગી ગયો હતો તેમજ તંત્ર દ્વારા પણ પૂરતી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તે દરમિયાન આજે સવારથી જ મોરબીના નગર દરવાજા ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ અને વેપારી એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે બનાવને પગલે શોકમય બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે અમુક રાહદારીઓ તરફથી એવી પણ વાત સાંભળવા મળી હતી કે શહેરના રવાપર રોડ વિસ્તારમાં અમુક વિસ્તારમાં દિકાનો ખુલ્લી રાખવામાં આવી હતી..!









