મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તત્કાળ પહોંચી અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા બાદ મોરબીમાં રાત્રિ રોકાણ કરીને રેસ્ક્યુ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન માર્ગદર્શન આપ્યું હતું. આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર સ્થિતને ધ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે, મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ વિનોદભાઈ ચાવડા, પુલ દુર્ઘટના અંગે રચાયેલી હાઇપાવર કમિટીના વડા રાજકુમાર બેનિવાલ, ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પગાર ભગદેવ, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય પોલીસવડા જયપાલસિંહ રાઠોર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.






Latest News