ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તત્કાળ પહોંચી અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા બાદ મોરબીમાં રાત્રિ રોકાણ કરીને રેસ્ક્યુ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન માર્ગદર્શન આપ્યું હતું. આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર સ્થિતને ધ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે, મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ વિનોદભાઈ ચાવડા, પુલ દુર્ઘટના અંગે રચાયેલી હાઇપાવર કમિટીના વડા રાજકુમાર બેનિવાલ, ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પગાર ભગદેવ, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય પોલીસવડા જયપાલસિંહ રાઠોર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.






Latest News