મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

સંવેદનશીલ તંત્ર : મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે ૨૪ કલાકમાં ભોગ બનેલ પરિવારોને અર્પણ કરાયા સહાયના ચેક


SHARE





સંવેદનશીલ તંત્ર : મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે ૨૪ કલાકમાં ભોગ બનેલ પરિવારોને અર્પણ કરાયા સહાયના ચેક

મોરબીની મચ્છુ જળ હોનારતમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેના પગલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભોગ બનેલ પરીવારો માટે રાહતની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોના પરીવારોને રૂા.૪-૪ લાખ અને ઇજાગ્રતોને રૂા.૫૦-૫૦ હજાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોને રૂા.૨-૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.૫૦-૫૦ હજાર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાવ બન્યાના ૨૪ કલાકમાં જ આ રાહત તેઓને મળી જાય તે માટે તંત્ર કામે લાગી ગયું હતું અને ૨૪ કલાકથી ઓછા સમયમાં મૃતકોના પરિવારજનોને મળીને તેઓને સાંત્વના પાઠવીને આ સહાયની રકમના ચેકો અર્પણ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં મોરબીના જુદા જુદા વિસ્તારોમાં રહેતા ભોગ બનેલ પરિવારોને મળીને તંત્ર દ્વારા સહાયની રકમના ચેકો આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

જેમા હળવદ તાલુકાના મોરબી દુર્ઘટના મૃત્યુ પામેલાના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યા જેમાં હળવદ શહેરમાં રહેતા ફળદુ હાર્દિક અશોકભાઇ તેમની પત્ની મિરલબેન હાર્દીકભાઈ ફળદુના રૂા.૪-૪ લાખની સહાયનો ચેક તેમના પિતાને હળવદ મામલતદાર એન.એસ.ભાટી દ્રારા આપીને દિલસોજી પાઠવવામાં આવી હતી.તેમજ હળવદ તાલુકાના અન્ય રહેવાસીઓ જેમાં મનુભાઈ રામજીભાઈ વાઘેલા રહે.શિરોઈ,.બેચરભાઈ કે. પરમાર રહે.નવા દેવળીયા, સતિષભાઈ કચરાભાઈ દેસાઈ રહે.સુરવદર વાળાઓને હળવદ તાલુકા વિકાસ અધિકારી જી.બી.ચોધરી તથા અમિતભાઈ રાવલના હસ્તે ચાર ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરી સ્વજનો ગુમાવવા બદલ દિલાસો આપવામાં આવ્યો હતો.




Latest News