હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસ ફરીયાદ બાદ તાબડતોબ નવની ધરપકડ સાંજે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરાશે


SHARE











મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસ ફરીયાદ બાદ તાબડતોબ નવની ધરપકડ સાંજે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરાશે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે અંદાજે ૮૦ જેટલા પુરુષો ૭૦ જેટલી મહિલાઓ અને ૫૫ થી વધુ બાળકોના મોત નીપજ્યા છે અને આમ અંદાજે ૧૫૦ જેટલી માનવ જિંદગીઓ મોતના ખપરમાં ચાલી ગઈ છે તેના પગલે પોલીસ તંત્ર દ્વારા જુલતા પુલનું સંચાલન કરતા લોકો અને જુલતા પુલનું મેન્ટેનન્સ કરનારાઓ સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધી હતી અને તાબડતોબ ગણતરીના કલાકોમાં નવ લોકોને હસ્તગત કરવામાં આવ્યા હોવાનું અને તે અંગ પકડાયેલા લોકોની તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.તેમજ સાંજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કારણ કે જે કોઈ વ્યક્તિઓ આ બ્રિજનું સંચાલન કરનાર સંસ્થા તરીકે અને બ્રિજનું રીપેરીંગ કામ કરનાર સંસ્થા તરીકે જોડાયેલા છે તે લોકોનો આમાં શું રોલ છે..? તેની ચકાસણી કરવા માટે રિમાન્ડ માગવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હાલ ડીવાયએસપી કેડરના અધિકારી દ્વારા આ સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના ઝુલતાપુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સહિતનાઓ મોરબી દોડી આવ્યા હતા અને પોલીસ વિભાગને તાબડતો જવાબદારો સામે ફરિયાદ નોંધવા માટે સૂચના કરી હતી અને જેને પગલે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી બનીને જુલતાપુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતાપુરનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના પગલે હાલમાં પોલીસ તંત્ર દ્વારા જે નવ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૪) રહે.મોરબી અને દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.૪૧) રહે.મોરબી કે જે બંને મેનેજર તરીકેની કામગીરી સંભાળતા હતા તેમની અને ટીકીટ કલેક્શન કરનાર મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.૫૯) રહે.મોરબી અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે.મોરબી તેમજ પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૧) રહે.ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) અને મુકેશભાઈ દક્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) નો સમાવેશ થાય છે.






Latest News