મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસ ફરીયાદ બાદ તાબડતોબ નવની ધરપકડ સાંજે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરાશે


SHARE









મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસ ફરીયાદ બાદ તાબડતોબ નવની ધરપકડ સાંજે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરાશે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે અંદાજે ૮૦ જેટલા પુરુષો ૭૦ જેટલી મહિલાઓ અને ૫૫ થી વધુ બાળકોના મોત નીપજ્યા છે અને આમ અંદાજે ૧૫૦ જેટલી માનવ જિંદગીઓ મોતના ખપરમાં ચાલી ગઈ છે તેના પગલે પોલીસ તંત્ર દ્વારા જુલતા પુલનું સંચાલન કરતા લોકો અને જુલતા પુલનું મેન્ટેનન્સ કરનારાઓ સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધી હતી અને તાબડતોબ ગણતરીના કલાકોમાં નવ લોકોને હસ્તગત કરવામાં આવ્યા હોવાનું અને તે અંગ પકડાયેલા લોકોની તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.તેમજ સાંજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કારણ કે જે કોઈ વ્યક્તિઓ આ બ્રિજનું સંચાલન કરનાર સંસ્થા તરીકે અને બ્રિજનું રીપેરીંગ કામ કરનાર સંસ્થા તરીકે જોડાયેલા છે તે લોકોનો આમાં શું રોલ છે..? તેની ચકાસણી કરવા માટે રિમાન્ડ માગવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હાલ ડીવાયએસપી કેડરના અધિકારી દ્વારા આ સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના ઝુલતાપુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સહિતનાઓ મોરબી દોડી આવ્યા હતા અને પોલીસ વિભાગને તાબડતો જવાબદારો સામે ફરિયાદ નોંધવા માટે સૂચના કરી હતી અને જેને પગલે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી બનીને જુલતાપુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતાપુરનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના પગલે હાલમાં પોલીસ તંત્ર દ્વારા જે નવ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૪) રહે.મોરબી અને દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.૪૧) રહે.મોરબી કે જે બંને મેનેજર તરીકેની કામગીરી સંભાળતા હતા તેમની અને ટીકીટ કલેક્શન કરનાર મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.૫૯) રહે.મોરબી અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે.મોરબી તેમજ પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૧) રહે.ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) અને મુકેશભાઈ દક્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) નો સમાવેશ થાય છે.






Latest News