મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા બનાવને પગલે શોક વ્યકત કરાયો


SHARE









મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા બનાવને પગલે શોક વ્યકત કરાયો

મોરબીના ઝૂલતાપુલ તુટી પડવાના પગલે જયારે ૧૩૪ જેટલા લોકોના હાલ જે ગોઝારી દુર્ઘટનામાં સતાવાર રીતે જીવ ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના દાખવીને અને તેમના પરિવારજનોને સાંતવના પાઠવીને મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આ સમગ્ર ઘટના બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબી ઝૂલતા પૂલ તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખ દાયક બની છે.આ દુર્ઘટનાના સમાચાર મળતાંની સાથે જ મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદિક એસોસિયેશન, હોમિયોપેથીક ડોક્ટર, ડેન્ટલ ડોક્ટરના તમામ બ્રાંચના ડોક્ટરો એક પળ વિચાર્યા વિના ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે દોડી ગયેલ હતા.તેમજ મોરબીની તમામ મલ્ટી સ્પેશિયાલીટી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં દવાઓ, સીટી સ્કેન, એકક્ષ રે, ઓપરેશન, સોનોગ્રાફી તેમજ બધી જ મહત્વની સારવાર સંપૂર્ણ ફ્રી માં ડોક્ટર દ્વારા દેવામાં આવી રહી છે.તેમજ બધા જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદિક, હોમિયોપેથીક અને ડેન્ટલ બ્રાંચના ડોક્ટરો હાલ જુદીજુદી હોસ્પિટલોમાં દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત છે. આવા દુઃખદાયક અણબનાવની પરિસ્થિતિમાં તમામ ડોક્ટરો નિસ્વાર્થ પણે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પરમ પિતા પરમાત્મા દુર્ઘટનામાં સારવાર લઈ રહેલ તમામ દર્દીઓને જલ્દી સજા કરે અને દુર્ઘટનામાં  દુઃખદ અવસાન થયેલ તમામ વ્યક્તિઓની આત્માને શાંતિ આપે તેમજ એમના પરિવારને આ અત્યંત દુઃખદાયક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે એવી એસો. દ્રારા પરમાત્માને દિલથી પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News