મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા બનાવને પગલે શોક વ્યકત કરાયો


SHARE





મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા બનાવને પગલે શોક વ્યકત કરાયો

મોરબીના ઝૂલતાપુલ તુટી પડવાના પગલે જયારે ૧૩૪ જેટલા લોકોના હાલ જે ગોઝારી દુર્ઘટનામાં સતાવાર રીતે જીવ ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના દાખવીને અને તેમના પરિવારજનોને સાંતવના પાઠવીને મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આ સમગ્ર ઘટના બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબી ઝૂલતા પૂલ તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખ દાયક બની છે.આ દુર્ઘટનાના સમાચાર મળતાંની સાથે જ મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદિક એસોસિયેશન, હોમિયોપેથીક ડોક્ટર, ડેન્ટલ ડોક્ટરના તમામ બ્રાંચના ડોક્ટરો એક પળ વિચાર્યા વિના ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે દોડી ગયેલ હતા.તેમજ મોરબીની તમામ મલ્ટી સ્પેશિયાલીટી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં દવાઓ, સીટી સ્કેન, એકક્ષ રે, ઓપરેશન, સોનોગ્રાફી તેમજ બધી જ મહત્વની સારવાર સંપૂર્ણ ફ્રી માં ડોક્ટર દ્વારા દેવામાં આવી રહી છે.તેમજ બધા જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદિક, હોમિયોપેથીક અને ડેન્ટલ બ્રાંચના ડોક્ટરો હાલ જુદીજુદી હોસ્પિટલોમાં દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત છે. આવા દુઃખદાયક અણબનાવની પરિસ્થિતિમાં તમામ ડોક્ટરો નિસ્વાર્થ પણે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પરમ પિતા પરમાત્મા દુર્ઘટનામાં સારવાર લઈ રહેલ તમામ દર્દીઓને જલ્દી સજા કરે અને દુર્ઘટનામાં  દુઃખદ અવસાન થયેલ તમામ વ્યક્તિઓની આત્માને શાંતિ આપે તેમજ એમના પરિવારને આ અત્યંત દુઃખદાયક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે એવી એસો. દ્રારા પરમાત્માને દિલથી પ્રાર્થના કરવામાં આવી હતી.




Latest News