મોરબી ઝુલતા પુલના દિવંગતો માટે કોંગ્રેસ અને આપ દ્વારા યોજાઇ કેન્ડલ માર્ચ
SHARE
મોરબી ઝુલતા પુલના દિવંગતો માટે કોંગ્રેસ અને આપ દ્વારા યોજાઇ કેન્ડલ માર્ચ
મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જુલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલા સદગતોની શ્રદ્ધાંજલિ અર્થે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં નગર દરવાજાથી સિવિલ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી શાંતિ સભા યોજાઈ અને હતભાગીઓના આત્માને પ્રભુ મોક્ષ અર્પે તેવી સૌ આગેવાનોએ કામના વ્યક્ત કરી હતી.આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, કે.ડી.પડસુંબીયા, કે.ડી.બાવરવા, મહેશભાઈ રાજ્યગુરુ, રાજુભાઈ કાવર, એલ.એમ.કણજારિયા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ પારજીયા, રામજીભાઈ રબારી, કિશોરભાઈ ચીખલીયા, અલ્પેશભાઈ કોઠીયા, દિલીપભાઈ સરડવા, ચેતનભાઇ એરવાડીયા, હનીફભાઈ પાયક સહિતના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો સહિત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા તેમજ મોરબી બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર થયેલા પંકજભાઈ રાણસરિયા, ટંકારા બેઠક માટે ઉમેદવાર જાહેર થયેલા સંજયભાઈ ભટાસણા, પરેશભાઈ પારીયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ કેન્ડલ માર્ચ માં જોડાયા હતા.