મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા


SHARE





મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા

મોરબીમાં મચ્છુ જળ હોનારતનો જે બનાવ બન્યો છે તેને પગલે હાલમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના જવાબદાર લોકો મોરબીમાં છે અને મોરબીની સિવિલ સહિતના જગ્યાઓની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે આ ઉપરથી આવેલા નેતાઓને સારું દેખાડવા માટે જે રીતે સ્થાનીક તંત્ર દ્રારા શહેરના મુખ્ય માર્ગોની રોડ રસ્તાઓની રીપેરીંગ અને સફાઈની કામગીરી અને ડીડીટી છાંટવાની જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે રીતે જ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પણ યુદ્ધના ધોરણે સફાઈ અને તમાન કામ કરવામાં આવી રહ્યા છે જેમાં લોકો માટે તૂટેલા ફૂટેલા ફ્રીજ હતા તેની જગ્યાએ રાતોરાત નવા ફ્રીજ મુકવામાં આવ્યા છે અને જે ઉખડેલા તૂટેલા પેવર બ્લોક હતા તેને રાતોરાત રીપેર કરવામાં આવ્યા છે અને ફાટેલા ગોદડા જેવા જે કોઈ બેડ હતા તેને જગ્યાએ નવા સાફ સુથરી બેડ, ચાદર અને ગાદલાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ રાતોરાત સિવિલ હોસ્પિટલને સારી દેખાડવા માટે સિવિલ હોસ્પિટલનું જે રંગકામ કરવામાં આવ્યું છે આ સમગ્ર બાબતના ફોટાઓ જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે ઉપરાંત અહીંના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના આગેવાન તેમજ મોરબી માળિયા વિધાનસભા માટે ઉમેદવાર તરીકે જાહેર થયેલા પંકજભાઈ રણસરીયા અને તેમને ટીમ દ્વારા ગતરાત્રિના આ સમગ્ર બનાવની સિવિલે જઇને આકરી ટીકા કરીને ફેઇસબુક લાઈવ કરવામાં આવ્યું હતું અને આ પ્રકારે બહારથી આવતા નેતાઓને સારું લગાડવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની જગ્યાએ જો લોકોની સુખ સુવિધા માટે અગાઉ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોત તો અમારે વિરોધ જ ન કરવો પડે તેવું આક્રોશપૂર્વક તેઓએ જણાવ્યું હતું તેમજ હાલમાં જે રીતે તંત્ર કામે લાગ્યું છે અને તેને લઈને તેના જે ફોટા અને વીડીયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેની લોકો ભરપેટ ટીકા કરી રહ્યા છે કે આ રીતે જે તમે ઝડપથી હાલ કામ કરી રહ્યા છો આ રીતે જો અગાઉ સારી રીતે કામ કરવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બની હોત જો અગાઉ તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત.




Latest News