મોરબી ઝુલતા પુલના દિવંગતો માટે કોંગ્રેસ અને આપ દ્વારા યોજાઇ કેન્ડલ માર્ચ
મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા
SHARE
મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા
મોરબીમાં મચ્છુ જળ હોનારતનો જે બનાવ બન્યો છે તેને પગલે હાલમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના જવાબદાર લોકો મોરબીમાં છે અને મોરબીની સિવિલ સહિતના જગ્યાઓની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે આ ઉપરથી આવેલા નેતાઓને સારું દેખાડવા માટે જે રીતે સ્થાનીક તંત્ર દ્રારા શહેરના મુખ્ય માર્ગોની રોડ રસ્તાઓની રીપેરીંગ અને સફાઈની કામગીરી અને ડીડીટી છાંટવાની જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે રીતે જ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પણ યુદ્ધના ધોરણે સફાઈ અને તમાન કામ કરવામાં આવી રહ્યા છે જેમાં લોકો માટે તૂટેલા ફૂટેલા ફ્રીજ હતા તેની જગ્યાએ રાતોરાત નવા ફ્રીજ મુકવામાં આવ્યા છે અને જે ઉખડેલા તૂટેલા પેવર બ્લોક હતા તેને રાતોરાત રીપેર કરવામાં આવ્યા છે અને ફાટેલા ગોદડા જેવા જે કોઈ બેડ હતા તેને જગ્યાએ નવા સાફ સુથરી બેડ, ચાદર અને ગાદલાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમજ રાતોરાત સિવિલ હોસ્પિટલને સારી દેખાડવા માટે સિવિલ હોસ્પિટલનું જે રંગકામ કરવામાં આવ્યું છે આ સમગ્ર બાબતના ફોટાઓ જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે ઉપરાંત અહીંના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના આગેવાન તેમજ મોરબી માળિયા વિધાનસભા માટે ઉમેદવાર તરીકે જાહેર થયેલા પંકજભાઈ રણસરીયા અને તેમને ટીમ દ્વારા ગતરાત્રિના આ સમગ્ર બનાવની સિવિલે જઇને આકરી ટીકા કરીને ફેઇસબુક લાઈવ કરવામાં આવ્યું હતું અને આ પ્રકારે બહારથી આવતા નેતાઓને સારું લગાડવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની જગ્યાએ જો લોકોની સુખ સુવિધા માટે અગાઉ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોત તો અમારે વિરોધ જ ન કરવો પડે તેવું આક્રોશપૂર્વક તેઓએ જણાવ્યું હતું તેમજ હાલમાં જે રીતે તંત્ર કામે લાગ્યું છે અને તેને લઈને તેના જે ફોટા અને વીડીયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેની લોકો ભરપેટ ટીકા કરી રહ્યા છે કે આ રીતે જે તમે ઝડપથી હાલ કામ કરી રહ્યા છો આ રીતે જો અગાઉ સારી રીતે કામ કરવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બની હોત જો અગાઉ તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત.