મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા


SHARE











મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા

મોરબીમાં મચ્છુ જળ હોનારતનો જે બનાવ બન્યો છે તેને પગલે હાલમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના જવાબદાર લોકો મોરબીમાં છે અને મોરબીની સિવિલ સહિતના જગ્યાઓની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે આ ઉપરથી આવેલા નેતાઓને સારું દેખાડવા માટે જે રીતે સ્થાનીક તંત્ર દ્રારા શહેરના મુખ્ય માર્ગોની રોડ રસ્તાઓની રીપેરીંગ અને સફાઈની કામગીરી અને ડીડીટી છાંટવાની જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે રીતે જ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પણ યુદ્ધના ધોરણે સફાઈ અને તમાન કામ કરવામાં આવી રહ્યા છે જેમાં લોકો માટે તૂટેલા ફૂટેલા ફ્રીજ હતા તેની જગ્યાએ રાતોરાત નવા ફ્રીજ મુકવામાં આવ્યા છે અને જે ઉખડેલા તૂટેલા પેવર બ્લોક હતા તેને રાતોરાત રીપેર કરવામાં આવ્યા છે અને ફાટેલા ગોદડા જેવા જે કોઈ બેડ હતા તેને જગ્યાએ નવા સાફ સુથરી બેડ, ચાદર અને ગાદલાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ રાતોરાત સિવિલ હોસ્પિટલને સારી દેખાડવા માટે સિવિલ હોસ્પિટલનું જે રંગકામ કરવામાં આવ્યું છે આ સમગ્ર બાબતના ફોટાઓ જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે ઉપરાંત અહીંના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના આગેવાન તેમજ મોરબી માળિયા વિધાનસભા માટે ઉમેદવાર તરીકે જાહેર થયેલા પંકજભાઈ રણસરીયા અને તેમને ટીમ દ્વારા ગતરાત્રિના આ સમગ્ર બનાવની સિવિલે જઇને આકરી ટીકા કરીને ફેઇસબુક લાઈવ કરવામાં આવ્યું હતું અને આ પ્રકારે બહારથી આવતા નેતાઓને સારું લગાડવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની જગ્યાએ જો લોકોની સુખ સુવિધા માટે અગાઉ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોત તો અમારે વિરોધ જ ન કરવો પડે તેવું આક્રોશપૂર્વક તેઓએ જણાવ્યું હતું તેમજ હાલમાં જે રીતે તંત્ર કામે લાગ્યું છે અને તેને લઈને તેના જે ફોટા અને વીડીયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેની લોકો ભરપેટ ટીકા કરી રહ્યા છે કે આ રીતે જે તમે ઝડપથી હાલ કામ કરી રહ્યા છો આ રીતે જો અગાઉ સારી રીતે કામ કરવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બની હોત જો અગાઉ તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત.






Latest News