મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી કેમ્પમાં ૨૪૦ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ
SHARE
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટ્યો તેના લીધે ૧૩૫ લોકોના મોત થયેલ છે અને ઘણાને ઇજા થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જુદીજુદી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ દુર્ઘટનાના અસરગ્રસ્તોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આ દુર્ઘટનામાં નોંધારા બાળકોની તમામ જવાબદારી ઉપાડશે તેવી જાહેરાત કરી છે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં ઘણાને તેની અસર થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ તૈયારી દર્શાવી છે અને શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં નિરાધાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સહિતની રહેવા જમવા સહિતની તમામ પ્રકારની સવલતો પુરી પાડવાની જાહેરાત કરેલ છે અને બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેમના વાલી બનીને તમામ પ્રકારની જવાબદારી સંસથા ઉઠાવશે તેવું કહ્યું છે









