ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ


SHARE











મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી પાસેથી બે શખ્સો ઉભ હતા ત્યારે પોલીસ તેની પાસે જતાં તે શખ્સો તેના હાથમાં રહેલ થેલિને ત્યાં છોડીને ભાગી ગયા હતા જેથી કરીને પોલીસે તે થેલીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપીઓ પોલીસને ચકમો આપીને ત્યાંથી નાસી ગયા હોય હાલમાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી બે શખ્સો ઊભા હતા ત્યારે રાઉન્ડમાં નીકળેલ પોલીસ જવાનો તેની તરફ આગળ વધતાં આ શખ્સો તેની પાસે રહેલ થેલીને ત્યાં ફેંકીને જતાં રહ્યા હતા જેથી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે થેલીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે થેલીમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હોય પોલીસે ૨૭૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસને ચકમો આપીને મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઈ સુમરા જાતે સંધિ રહે. નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ મોરબી અને સાગર કાંતિભાઈ પલાણ જાતે લોહાણા રહે. નવલખી રોડ જલારામ સોસાયટી વાળા નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા (૫૮) ગઇકાલે તેની વાડીએ હતા ત્યારે તેને વાડીએ જ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેને મૃત હાલતમાં તેનો દીકરો મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News