મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ


SHARE









મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી પાસેથી બે શખ્સો ઉભ હતા ત્યારે પોલીસ તેની પાસે જતાં તે શખ્સો તેના હાથમાં રહેલ થેલિને ત્યાં છોડીને ભાગી ગયા હતા જેથી કરીને પોલીસે તે થેલીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપીઓ પોલીસને ચકમો આપીને ત્યાંથી નાસી ગયા હોય હાલમાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી બે શખ્સો ઊભા હતા ત્યારે રાઉન્ડમાં નીકળેલ પોલીસ જવાનો તેની તરફ આગળ વધતાં આ શખ્સો તેની પાસે રહેલ થેલીને ત્યાં ફેંકીને જતાં રહ્યા હતા જેથી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે થેલીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે થેલીમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હોય પોલીસે ૨૭૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસને ચકમો આપીને મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઈ સુમરા જાતે સંધિ રહે. નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ મોરબી અને સાગર કાંતિભાઈ પલાણ જાતે લોહાણા રહે. નવલખી રોડ જલારામ સોસાયટી વાળા નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા (૫૮) ગઇકાલે તેની વાડીએ હતા ત્યારે તેને વાડીએ જ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેને મૃત હાલતમાં તેનો દીકરો મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News