મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ


SHARE













મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી પાસેથી બે શખ્સો ઉભ હતા ત્યારે પોલીસ તેની પાસે જતાં તે શખ્સો તેના હાથમાં રહેલ થેલિને ત્યાં છોડીને ભાગી ગયા હતા જેથી કરીને પોલીસે તે થેલીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપીઓ પોલીસને ચકમો આપીને ત્યાંથી નાસી ગયા હોય હાલમાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી બે શખ્સો ઊભા હતા ત્યારે રાઉન્ડમાં નીકળેલ પોલીસ જવાનો તેની તરફ આગળ વધતાં આ શખ્સો તેની પાસે રહેલ થેલીને ત્યાં ફેંકીને જતાં રહ્યા હતા જેથી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે થેલીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે થેલીમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હોય પોલીસે ૨૭૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસને ચકમો આપીને મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઈ સુમરા જાતે સંધિ રહે. નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ મોરબી અને સાગર કાંતિભાઈ પલાણ જાતે લોહાણા રહે. નવલખી રોડ જલારામ સોસાયટી વાળા નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા (૫૮) ગઇકાલે તેની વાડીએ હતા ત્યારે તેને વાડીએ જ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેને મૃત હાલતમાં તેનો દીકરો મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News