ઝૂલતા પુલના હતભાગીઓને મોક્ષાર્થે મોરબીમાં મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞ યોજાશે
SHARE
ઝૂલતા પુલના હતભાગીઓને મોક્ષાર્થે મોરબીમાં મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞ યોજાશે
મોરબીમાં સવા મહિના પહેલા ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને સર્જાયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે આગામી શુક્રવારે મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તેના લીધે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જુદાજુદા કાર્યકમો કરવામાં આવ્યા હતા ત્યાર બાદ હવે આગામી શુક્રવારે ઝુલતા પુલ પાસે આવેલ દરબારગઢ નજીક મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. અને આ યજ્ઞના આચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ જોશી હાજર રહેશે અને તેઓ શાસ્ત્રોક્ત વિધિ કરાવશે ત્યારે કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં હાજર રહેશે આટલુ જ નહીં સ્થાનિક ચૂંટાયેલા સભ્યો તેમજ જુદાજ્ડૂય સમાજ અને એસો. સાથે સંકળાયેલા આગેવાનો પણ ત્યાં હાજર રહેશે