મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ કરાશે


SHARE







મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ કરાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીના સ્વર્ગસ્થ પત્નીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મહિલાઓ પગભર થઈ શકે તે માટે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના લોકો ત્યાં હાજર રહેવાના છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિરના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાના સ્વર્ગસ્થ પત્ની સુશીલાબેન ભુપતભાઈ પંડ્યાની આગામી તા.૧૪/૧૨ ના રોજ પાંચમી પુણ્યતિથિ હોય તે નિમિત્તે પરશુરામ ધામ મંદિર ખાતે ધજા ચડાવવાના સાથે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તેની સાથોસાથ બ્રહ્મ સમાજ અને દરેક સમાજની મહિલાઓ પગભર થઈ શકે તે માટે પરશુરામ મંદિર ખાતે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર ભુપતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે અને વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે. આ કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને પરશુરામ ધામ મંદિર ખાતે મહિલાઓને ઉપયોગી થાય તે હેતુ સાથે કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સિલાઈ મશીન આપવામાં આવશે આટલું જ નહીં સિલાઈ મશીન ચલાવવા માટેની તાલીમ પણ ત્યાં નિશુલ્ક આપવામાં આવશે અને દરરોજ સાડા ચાર થી છ વાગ્યા સુધી ત્યાં દરેક સમાજની બહેનોને નિશુલ્ક તાલીમ આપવા માટેનું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે તેવું ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યું છે






Latest News