હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

હળવદના નવા દેવડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE













હળવદના નવા દેવડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

હળવદ તાલુકાના નવા દેવડીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી મૂળ છોટાઉદેપુરની રહેવાસી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં જામભા મેઘુભા પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સરસ્વતીબેન અર્જુનભાઈ ભીલ (ઉંમર ૪૨) વાડીએ હતા ત્યારે તેઓએ ખળમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવની અર્જુનભાઈ ભીલ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બીમારી સબબ મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટી ચંદ્રપુર હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં રહેતા શક્તિસિંહ હરેન્દ્રસિંહ જાડેજા (ઉંમર ૫૧) ને શ્વાસ, હૃદય અને ડાયાબિટીસની બીમારી હોય તેઓને વાંકાનેરથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી બીમારી સબબ તેઓનું મૃત્યુ થયેલ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News