રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે અકળ કારણોસર ઝેરી દવા પી જતા સગીરાનું મોત


SHARE









મોરબીના ગાળા ગામે અકળ કારણોસર ઝેરી દવા પી જતા સગીરાનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા ખેત મજુર પરિવારની સગીરવયની યુવતી કોઈ કારણોસર વહેલી સવારે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામની સીમમા દેવજીભાઈ પટેલની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની સાહિદાબેન હરેશભાઈ માનકરભાઈ પસાયા જાતે ભીલ નામની ૧૫ વર્ષની સગીરા વાડીએ કોઈ કારણોસર આજે વહેલી સવારે ચારેક વાગ્યા પહેલાના કોઈપણ સમય દરમિયાન ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને બેભાન હાલતમાં અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન સાહિદાબેન હરેશભાઈ પસાયા નામની ૧૫ વર્ષની આદીવાસી સગીરાનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને પીએમમાં ખસેડીને પોલીસને જાણ કરાતા હાલમાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરા દ્વારા કયા કારણોસર સાહીદાબેને અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના ઓટાળા ગામે બંગાવડી નજીક વાળી વિસ્તારમાં ઝેરી દવા પી જતા ગટુભાઈ ઝવેરીયાભાઇ પરમાર જાતે આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ માટે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.જ્યારે મોરબીના જેલચોક વિસ્તારની સામે રહેતો રાહુલ ગોરધનભાઇ સોલંકી નામનો ૩૦ વર્ષનો યુવાન તેના રહેણાંક વિસ્તારમાં હતો ત્યારે ત્યાં તેના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામતા તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે રહેતા રાજેશભાઈ જગદીશભાઈ અઘારા નામના ૩૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ભરતનગર પાછળ સાદુકાકા ગામ તરફ જવાના રસ્તેથી રાજેશભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતે તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા ઇજા પામેલ રાજેશભાઈ અઘારાને સારવાર માટે મોરબી લવાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે






Latest News