મોરબીના જૂના બસ સ્ટેશનમાં બસના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત
મોરબીના લખધીરપુર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત
SHARE
મોરબીના લખધીરપુર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચક્કર આવતા યુવાન પડી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો વર્લ્ડ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મહારાજ પાતીરામ આદિવાસી (૩૪) નામનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તેને ત્યાં કામ કરતા ગોપાલભાઈ માનસિંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે મહારાજ આદિવાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી