ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મેડિકલની સારવારમાં દેણું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો !


SHARE











મોરબીમાં મેડિકલની સારવારમાં દેણું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો !

મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓ આગામી તા ૩૦ સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે હજુ પણ કેટલાક ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઇ રહી છે અને સૂત્રોના કહેવા પ્રમાણે લૂંટની ઘટના આપનારા આરોપી ઉપર મેડિકલની સારવાર પછી દેણું વધી ગયું હતું જેથી કરીને તેને લૂંટની ટીપ આપી હોવાનું સામે આવી રહ્યું છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧) ની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓ આગામી તા ૩૦ સુધીના રિમાન્ડ ઉપર છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી અર્જુનગીરી નારદગીરી ગોસાઈ ઉપર મેડિકલની સારવાર પછી દેણું વધી ગયું હતું જેથી કરીને તેને ઝડપથી રૂપિયા મેળવવા માટે મયુરસિંહ દિલીપભાઈ ડોડીયાને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ટીપ આપી હતી






Latest News