મોરબી: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના 112માં સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી
મોરબીના ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો
SHARE
મોરબી : ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો
લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મરાતા તેનુ મોત થયુ હોવાનો આક્ષેપ હતો : પોલીસ છેક સુધી મૃતકની ઓળખ જ ન કરી શકી
મોરબીના ઘુંટુ રોડ પર આવેલી લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મારતા તેનુ મોત નીપજયુ હતુ. આવા આક્ષેપવાળી ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવની વિગત મુજબ કારખાનાનો ચોકીદાર મીથુનકુમાર સંતોષકુમાર ચૌધરી તા.21/12/2019ના રોજ કારખાને હતો.
ત્યારે એક વ્યકિતને વાયરના જથ્થા સાથે પકડી પાડયો હતો. બનાવની જાણ કરતા કારખાનાના માલિક રોહિતભાઈ અંબારામ થાડોદ, મેનેજર પરસોતમભાઈ ઉર્ફે મામા, લાલજીભાઈ ધાડીયા અને સુપરવાઈઝર નિલેશભાઈ કાનજીભાઈ થાડોદ કારખાને દોડી આવેલા અને બીજા દિવસે મજુરની એક ઓરડીમાં આ શખ્સને પાવડાના હાથા અને વાયર વડે બેફામ માર મારેલો. આ શખ્સ કંઈ બોલતો ન હોય અને તેને જવા દીધો હતો. જો કે બાદમાં કારખાના બહારથી તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ કેસમાં કારખાનાના ચોકીદારને ફરીયાદી બનાવેલ અને આરોપી તરીકે રોહિતભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ અને પરસોતમ ઉર્ફે મામાની ધરપકડ કરી.
ચાર્જશીટ ફાઈલ કરતા કોર્ટમાં કેસ ચાલેલો જયાં આરોપીના વકીલે દલીલ કરેલી કે કેસ સાક્ષી ફરીયાદીના નિવેદનથી પુરવાર થતો નથી. જે ધ્યાને લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકે ભગીરથસિંહ ડોડીયા, જીતુભા જાડેજા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, જયપાલસિંહ સોલંકી, દીપ વ્યાસ, રવિરાજસિંહ પરમાર, સાગર પરમાર રોકાયા હતા.આશ્વર્યની વાત એ છે કે કેસમાં છેક સુધી પોલીસ મૃતકની ઓળખ કરી શકી ન હતી.