મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો


SHARE









મોરબી : ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો

લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મરાતા તેનુ મોત થયુ હોવાનો આક્ષેપ હતો : પોલીસ છેક સુધી મૃતકની ઓળખ જ ન કરી શકી

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મારતા તેનુ મોત નીપજયુ હતુ. આવા આક્ષેપવાળી ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવની વિગત મુજબ કારખાનાનો ચોકીદાર મીથુનકુમાર સંતોષકુમાર ચૌધરી તા.21/12/2019ના રોજ કારખાને હતો.

ત્યારે એક વ્યકિતને વાયરના જથ્થા સાથે પકડી પાડયો હતો. બનાવની જાણ કરતા કારખાનાના માલિક રોહિતભાઈ અંબારામ થાડોદ, મેનેજર પરસોતમભાઈ ઉર્ફે મામા, લાલજીભાઈ ધાડીયા અને સુપરવાઈઝર નિલેશભાઈ કાનજીભાઈ થાડોદ કારખાને દોડી આવેલા અને બીજા દિવસે મજુરની એક ઓરડીમાં આ શખ્સને પાવડાના હાથા અને વાયર વડે બેફામ માર મારેલો. આ શખ્સ કંઈ બોલતો ન હોય અને તેને જવા દીધો હતો. જો કે બાદમાં કારખાના બહારથી તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ કેસમાં કારખાનાના ચોકીદારને ફરીયાદી બનાવેલ અને આરોપી તરીકે રોહિતભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ અને પરસોતમ ઉર્ફે મામાની ધરપકડ કરી.

ચાર્જશીટ ફાઈલ કરતા કોર્ટમાં કેસ ચાલેલો જયાં આરોપીના વકીલે દલીલ કરેલી કે કેસ સાક્ષી ફરીયાદીના નિવેદનથી પુરવાર થતો નથી. જે ધ્યાને લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકે ભગીરથસિંહ ડોડીયા, જીતુભા જાડેજા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, જયપાલસિંહ સોલંકી, દીપ વ્યાસ, રવિરાજસિંહ પરમાર, સાગર પરમાર રોકાયા હતા.આશ્વર્યની વાત એ છે કે કેસમાં છેક સુધી પોલીસ મૃતકની ઓળખ કરી શકી ન હતી.






Latest News