માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


SHARE

















મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


મોરબીથી કરજણની એસટી બસ ચાલુ હતી જો કે, કોરોના સમયે તે બસને બંધ કરી દેવામાં આવી હતી અને આજ સુધી તેને શરૂ કરવામાં આવી નથી જેથી કરીને આ એસટી બસ શરૂ કરવા માટે હાલમાં અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય દ્વારા રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ રાજકોટ એસટી વિભાગના નિયામકને લેખિતમાં રજુઆત કરી છે કે, કરજણ ડેપોથી મોરબી બસ આવતી અને રાત્રે ૧૨ વાગ્યે મોરબીથી ઉપડીને કરજણ જતી હતી જો કે, આ બસ કોરોનામાં બંધ કર્યા બાદ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી આ બાબતે અનેક વખત એસટી વિભાગને રજુઆત કરી છે પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસ ચાલુ કરવામાં આવી નથી જેથી વધુ એક વખત તેઓએ આ મુદે રજુઆત કરી છે અને આ રૂટની બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીથી રાત્રીના સમયે અમદાવાદ જવા માટે છેલ્લી આ બસ હોય છે અને આ બસનું અમદાવાદ રેલવે ટ્રેન સાથે કનેક્શન હોવાથી ટ્રાફિક પણ સારો રહે છે. જેથી કરીને વહેલી તકે મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News