ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


SHARE













મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


મોરબીથી કરજણની એસટી બસ ચાલુ હતી જો કે, કોરોના સમયે તે બસને બંધ કરી દેવામાં આવી હતી અને આજ સુધી તેને શરૂ કરવામાં આવી નથી જેથી કરીને આ એસટી બસ શરૂ કરવા માટે હાલમાં અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય દ્વારા રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ રાજકોટ એસટી વિભાગના નિયામકને લેખિતમાં રજુઆત કરી છે કે, કરજણ ડેપોથી મોરબી બસ આવતી અને રાત્રે ૧૨ વાગ્યે મોરબીથી ઉપડીને કરજણ જતી હતી જો કે, આ બસ કોરોનામાં બંધ કર્યા બાદ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી આ બાબતે અનેક વખત એસટી વિભાગને રજુઆત કરી છે પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસ ચાલુ કરવામાં આવી નથી જેથી વધુ એક વખત તેઓએ આ મુદે રજુઆત કરી છે અને આ રૂટની બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીથી રાત્રીના સમયે અમદાવાદ જવા માટે છેલ્લી આ બસ હોય છે અને આ બસનું અમદાવાદ રેલવે ટ્રેન સાથે કનેક્શન હોવાથી ટ્રાફિક પણ સારો રહે છે. જેથી કરીને વહેલી તકે મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News