મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી


SHARE













ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટમાં રહેતા યુવાનના ઘરની અંદર અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા જાતે પટેલ (ઉમર ૪૦) પોતાના ઘરે હતા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્ય શખ્સે તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી વીવો કંપનીના ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી કરીને દિનેશભાઈ ઝાલરીયાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મનીષ મહેશભાઈ સુમેસરા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષાબેન ગિરીશભાઈ દુદકિયા (૫૭) અને તૃપ્તિબેન ગિરીશભાઈ દુદકિયા (૨૭) બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામના ઝાંપાની પાસે આવેલ મારૂતિ પાન નજીક તેઓનું બાઈક સ્લીપ થતા બંનેને ઈજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરણ મનીષભાઈ સોલંકી (૧૭) અને સંજય કાંતિલાલ કડેવાર (૨૬) ને આયુષ હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.








Latest News