મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી


SHARE













ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટમાં રહેતા યુવાનના ઘરની અંદર અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા જાતે પટેલ (ઉમર ૪૦) પોતાના ઘરે હતા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્ય શખ્સે તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી વીવો કંપનીના ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી કરીને દિનેશભાઈ ઝાલરીયાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મનીષ મહેશભાઈ સુમેસરા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષાબેન ગિરીશભાઈ દુદકિયા (૫૭) અને તૃપ્તિબેન ગિરીશભાઈ દુદકિયા (૨૭) બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામના ઝાંપાની પાસે આવેલ મારૂતિ પાન નજીક તેઓનું બાઈક સ્લીપ થતા બંનેને ઈજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરણ મનીષભાઈ સોલંકી (૧૭) અને સંજય કાંતિલાલ કડેવાર (૨૬) ને આયુષ હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News