મોરબીના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ગટરમાં ગાયક ખાબકી : તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ
SHARE
મોરબીના વાંકાનેર દરવાજા પાસે ખુલ્લી ગટરમાં ગાયક ખાબકી : તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ
મોરબીના વાંકાનેર દરવાજા પાસે જૂની દાણા પીઠની પાછળના ભાગમાં ખુલ્લી ગટર હોવાના કારણે અવારનવાર તેમાં ગૌવંશો પડતા હોય છે જેને મહામુસીબતે સ્થાનિક લોકો બહાર કાઢતા હોય છે તેમ છતાં પણ આ ખુલ્લી ગટરને બંધ કરવા માટેની તસ્દી લેવામાં આવતી નથી જેથી કરીને આજની તારીખે પણ આ ખુલી ગટર માં ગૌવંશો પડતા હોય તેવું અવારનવાર બને છે આજે સવારના સમયે ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી જેથી કરીને ગટરમાંથી બહાર નીકળવા માટે ગાય તરફડિયા મારતી હતી તેમ છતાં પણ તે બહાર નીકળી શકતી ન હતી જેથી ગટરમાં પડી ગયેલ ગાયને બહાર કાઢવા માટે થઈને ગૌ પ્રેમીઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ વારંવાર ખુલ્લી ગટરમાં અબોલ જેવું પડે છે અને ભવિષ્યમાં કોઈ નાનું બાળક પડી જાય અને જીવલેણ અકસ્માત બને ત્યાં પહેલા પાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરને બંધ કરવા માટે થઈને નકકર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે.