મોરબી આઇટીઆઇમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ-એસમ્બ્લી ટેકનીશ્યન કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
મોરબીમાં પરશુરામ ધામ ખાતે ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ હાલ મોકૂફ
SHARE
મોરબીમાં પરશુરામ ધામ ખાતે ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ હાલ મોકૂફ
મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તા ૧/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ રખવામાં આવ્યો હતો જો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતાં આ કાર્યક્ર્મને હાલમાં મોકૂફ રાખવામા આવેલ છે અને આગમી સમયમાં આ કાર્યક્ર્મ યોજાશે તેવું ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે
મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે અને તે ચારેય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાનો સમાવેશ થાય છે અને તેના સન્માનનો કાર્યક્રમ રવિવાર તા. ૧/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી ખાતે રાખેલ હતું જો કે, શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે જેથી કરીને આ કાર્યક્ર્મ્ને એચએએલ પૂરતો મોકૂફ રાખવામા આવેલ છે