મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે


SHARE









મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે

શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું જેથી કરીને મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા આવતીકાલ તા. ૧ ને રવિવારના રોજ મોરબીમાં શોકસભાનું આયોજન કરવામાં આવેલ છે

આ અંગે મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી.કે. લેહરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા સંસ્થાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતાનું પણ નિધન થયેલું હોય તેમજ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું હોય તે નીમિત્તે કાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ વાગ્યે સંસ્થાના કાયાજી પ્લોટ ખાતે આવેલ ધન્વંતરિ ભવન ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બંનેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે તેમજ સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા જે અન્ય કાર્યક્રમો યોજવાના છે તે પણ યથાવત રાખવામાં આવ્યા હોવાનું હોદેદારોએ જણાવ્યુ છે

જાદુગરનો શો

સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. બી.કે. લહેરૂના જણાવ્યા પ્રમાણે આવતીકાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ થી છ વાગ્યા દરમિયાન જાદુગરના શો નું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય સંસ્થાના સર્વ સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે સંસ્થાના કાયાજી પ્લોટમાં આવેલ ધન્વંતરિ ભવન ખાતે બપોરના ત્રણથી છ દરમ્યાન જાદુગર શો નું આયોજન કરવામાં આવેલું હોય જેનો લાભ લેવા અને ભોજન સમારોહમાં જોડાવા માટે સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવેલું છે

ઉકાળા વિતરણ

મોરબીના સ્વ. બળવંતભાઈ પંડ્યાના સ્મરણ અર્થે વાઘપરા મેઇન રોડ સવાનીયા હનુમાનજી મંદિર પાસે દરરોજ સવારના ૬:૩૦ થી ૮:૩૦ દરમ્યાનમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે જે શરદી, કફ તેમજ ઋતુજ્ન્ય બીમારીઓ માટે આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરેલું છે તેમજ લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ડો. બી.કે. લહેરૂનું દવાખાનુ સનાળા રોડ દાતાત્રેય મંદિર પાસે અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલ બાપાસીતારામ મઢુલી ખાતે તા. ૫/૧ સુધી આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ છે જેનો પણ લાભ લેવા માટે મોરબીના લોકોને સંસથા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News