મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે


SHARE











મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે

શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું જેથી કરીને મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા આવતીકાલ તા. ૧ ને રવિવારના રોજ મોરબીમાં શોકસભાનું આયોજન કરવામાં આવેલ છે

આ અંગે મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી.કે. લેહરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા સંસ્થાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતાનું પણ નિધન થયેલું હોય તેમજ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું હોય તે નીમિત્તે કાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ વાગ્યે સંસ્થાના કાયાજી પ્લોટ ખાતે આવેલ ધન્વંતરિ ભવન ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બંનેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે તેમજ સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા જે અન્ય કાર્યક્રમો યોજવાના છે તે પણ યથાવત રાખવામાં આવ્યા હોવાનું હોદેદારોએ જણાવ્યુ છે

જાદુગરનો શો

સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. બી.કે. લહેરૂના જણાવ્યા પ્રમાણે આવતીકાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ થી છ વાગ્યા દરમિયાન જાદુગરના શો નું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય સંસ્થાના સર્વ સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે સંસ્થાના કાયાજી પ્લોટમાં આવેલ ધન્વંતરિ ભવન ખાતે બપોરના ત્રણથી છ દરમ્યાન જાદુગર શો નું આયોજન કરવામાં આવેલું હોય જેનો લાભ લેવા અને ભોજન સમારોહમાં જોડાવા માટે સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવેલું છે

ઉકાળા વિતરણ

મોરબીના સ્વ. બળવંતભાઈ પંડ્યાના સ્મરણ અર્થે વાઘપરા મેઇન રોડ સવાનીયા હનુમાનજી મંદિર પાસે દરરોજ સવારના ૬:૩૦ થી ૮:૩૦ દરમ્યાનમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે જે શરદી, કફ તેમજ ઋતુજ્ન્ય બીમારીઓ માટે આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરેલું છે તેમજ લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ડો. બી.કે. લહેરૂનું દવાખાનુ સનાળા રોડ દાતાત્રેય મંદિર પાસે અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલ બાપાસીતારામ મઢુલી ખાતે તા. ૫/૧ સુધી આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ છે જેનો પણ લાભ લેવા માટે મોરબીના લોકોને સંસથા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News