ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આવ્યું માઠું પરિણામ


SHARE











મોરબીના વાવડી રોડે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આવ્યું માઠું પરિણામ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા બારોટ યુવાનને તેના પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને યુવાને બંને મોબાઈલ લઈને પત્નીને નીચેના માળે બહારથી આગળીયો મારી પુરી દઇને ઉપરના માળે જઈને સ્વેટર વડે ફાંસો ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા આકાશ હસમુખભાઈ આંજાણકા જાતે બારોટ નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘેર સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને બનાવ સંદર્ભે બાદમાં વહેલી સવારે જાણ થતા પોલીસે સ્થળ ઉપર જઈને આગળની તજવીજ હાથ ધરી હતી.જેમાં ખુલ્યું હતું કે મૃતક આકાશભાઈને તેમના પત્ની મનીષાબેનની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી ગુસ્સામાં આવીને આકાશભાઈ બારોટે તેમનો તથા તેમની પત્નીનો મોબાઇલ લઈ લઇને તેમની પત્નિ તથા તેમના સંતાનને નીચેના માળે રૂમમાં બંધ કરી બહારથી આગળીયો મારી તેઓ ઉપરના માળે ગયા હતા અને ત્યાં સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લેતા તેઓનું મોત નીપજ્યું હતું હાલ બનાવની નોંધ તથા એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે.

પાવળીયારી પાસે ફાંસો ખાઈ જતા પરણીતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી નજીક આવેલ ટોરેસ સિરામિકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતી રવિનાબેન આકાશભાઈ મોરે નામની ૨૦ વર્ષીય પરિણીતાએ તેના ક્વાટરમાં સળીયા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો હતો જોકે તેના પતિનું ધ્યાન જતા પતિ અશોક કુદરાભાઈ મોરેએ તેણીને સારવાર માટે શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડયા હતા અને હાલ પરણીતા રવિનાબેન બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું અને સંતાન ન હોવાનું હાલ પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા જણાવવામાં આવ્યું છે. પરિણિતાનો લગ્નગાળો એક જ વર્ષનો હોય હાલ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા તપાસ ચલાવી રહ્યા છે.જોકે હાલ પરિણિતા બેભાન હાલતમાં હોય તેણીના ભાનમાં આવ્યા બાદ જ બનાવના કારણ અંગે આગળની તપાસ કરાશે તેમ મળેલ છે.






Latest News