મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું


SHARE











મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે સીએ અને સીએસ ની કારકિર્દી તેમજ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર મૌલિન પંડ્યાએ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે તમામ સુખ સુવિધા જીવનમાં મળે તે માટે માતા-પિતાએ કરેલા સંઘર્ષની વાત સમજાવેલ હતી અને માતા પિતાએ બાળકોના જીવન ઘડતર માટે આપેલ યોગદાનની  ઇમોશનલ અને ચોટદાર વક્તવ્યથી ઘણાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. ખરેખર જીવનકાળ દરમિયાન માતા પિતાનો સંઘર્ષએ પુત્ર કે પુત્રી માટે અકલ્પનિય છે જે બાબત આજના સેમિનારમાં સાર્થક થયેલ છે તેમજ સીએ મૌલિક ટોલિયાએ વિદ્યાર્થીઓને સી.એ. બનવા માટેનું જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હતું આ સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી ખૂબ સરસ માહિતી પૂરી પાડી હતી. અને આ સેમિનારને સફળ બનાવવા માટે નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી તથા તમામ કોમર્સ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી






Latest News