ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું


SHARE











મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે સીએ-સીએસની કારકિર્દી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે સીએ અને સીએસ ની કારકિર્દી તેમજ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર મૌલિન પંડ્યાએ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે તમામ સુખ સુવિધા જીવનમાં મળે તે માટે માતા-પિતાએ કરેલા સંઘર્ષની વાત સમજાવેલ હતી અને માતા પિતાએ બાળકોના જીવન ઘડતર માટે આપેલ યોગદાનની  ઇમોશનલ અને ચોટદાર વક્તવ્યથી ઘણાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. ખરેખર જીવનકાળ દરમિયાન માતા પિતાનો સંઘર્ષએ પુત્ર કે પુત્રી માટે અકલ્પનિય છે જે બાબત આજના સેમિનારમાં સાર્થક થયેલ છે તેમજ સીએ મૌલિક ટોલિયાએ વિદ્યાર્થીઓને સી.એ. બનવા માટેનું જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હતું આ સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી ખૂબ સરસ માહિતી પૂરી પાડી હતી. અને આ સેમિનારને સફળ બનાવવા માટે નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી તથા તમામ કોમર્સ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી






Latest News