મોરબી જીલ્લામાં સંસ્કૃત ભારતી દ્વારા લેવાઇ સંસ્કૃત ગૌરવ પરીક્ષા
વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન
SHARE
વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન
ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા "સર્જનમાં ભારતીયતા" (A Symposium on Bharat Centric Creation) નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો હાજર રહેશે અને વાર્તાલાપ કરશે જેથી કરીને આ કાર્યક્રમમાં તમામ સર્જક મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે
આ કાર્યશાળામાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો ધ્રુવદાદા, નરેશભાઈ વેદ, સૌરભભાઈ શાહ, શૈલેષભાઈ સગપરિયા વગેરે ઉપસ્થિત રહેવાના છે અને અન્ય સર્જકો સાથે સંવાદ તેમજ વાર્તાલાપ કરશે ત્યારે સાહિત્ય, સ્તંભ લેખન, બ્લોગ, પોર્ટલ કે અન્ય સોશિયલ મીડિયામાં નિયમિત સ્વરૂપે લેખન કાર્ય કરતાં હોય તેવા તમામ સર્જક મિત્રો તેનાં અતે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેના માટે https://cutt.ly/F2eBREZ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આગામી ૨૫ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે આ કાર્યક્રમ ૨૯ જાન્યુઆરી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી એમ.પી. પટેલ સભાગૃહ, માનવ વિદ્યા ભવન, ભૌતિકશાસ્ત્ર વિભાગ પાસે, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત ખાતે રાખવામા આવેલ છે અને વધુ માહિતી માટે પંકજભાઈ પુરોહિત ૯૪૨૬૩ ૭૦૬૩૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે