મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન


SHARE









વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા "સર્જનમાં ભારતીયતા" (A Symposium on Bharat Centric Creation) નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો હાજર રહેશે અને વાર્તાલાપ કરશે જેથી કરીને આ કાર્યક્રમમાં તમામ સર્જક મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે

આ કાર્યશાળામાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો ધ્રુવદાદા, નરેશભાઈ વેદ, સૌરભભાઈ શાહ,  શૈલેષભાઈ સગપરિયા વગેરે ઉપસ્થિત રહેવાના છે અને અન્ય સર્જકો સાથે સંવાદ તેમજ વાર્તાલાપ કરશે ત્યારે સાહિત્ય, સ્તંભ લેખન, બ્લોગ, પોર્ટલ કે અન્ય સોશિયલ મીડિયામાં નિયમિત સ્વરૂપે લેખન કાર્ય કરતાં હોય તેવા તમામ સર્જક મિત્રો તેનાં અતે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેના માટે https://cutt.ly/F2eBREZ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આગામી ૨૫ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે આ કાર્યક્રમ ૨૯ જાન્યુઆરી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી એમ.પી. પટેલ  સભાગૃહ, માનવ વિદ્યા ભવન, ભૌતિકશાસ્ત્ર વિભાગ પાસે, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત ખાતે રાખવામા આવેલ છે અને વધુ માહિતી માટે પંકજભાઈ પુરોહિત ૯૪૨૬૩ ૭૦૬૩૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News