મોરબી જિલ્લામાં ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટરની કરાઈ નિમણૂંક
SHARE









મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટરની કરાઈ નિમણૂંક
મોરબીની સિવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી નિષ્ણાંત ડોકટરોની ઘટને ધ્યાને લઈને સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆત અન્વયે ઓર્થોપેડિક (હાડકા)ના ડોકટરની નિમણુંક કરાઈ છે
મોરબી સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ધણા સમયથી વિવિધ નિષ્ણાંત ડોકટરોની ઘટ હતી જેથી નિષ્ણાંત ડોકટરોની નિમણુક મામલે શહેરના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયા સહિતના સામાજીક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે વારંવાર રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી. આ રજૂઆતોને લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં ડો. મયુર કાલરીયાની (ઓર્થોપેડિક સર્જન) ૧૧ માસ માટે નિમણુંક કરવામાં આવી છે હવે તેઓ સિવિલ હોસ્પિટલના રૂમ નંબર-૭ માં ઓર્થોપેડિક સર્જનની મંગળ,ગુરૂ, અને શનિવાર ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ટુંક સમયમાં જરૂરીયાતવાળા દર્દીઓ માટે ઓપરેશન સેવા પણ ચાલુ કરવામાં આવશે. જે સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. દુધરેજીયા અને આરએમઓ ડો. કે.આર.સરડવાએ અનુરોધ કર્યો છે.
