ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે કાર પલટી જતાં કાર ચાલકની પત્ની-જમાઈનું મોત: દીકરી-બે ભાણેજ સહિત ચાર સારવારમાં


SHARE







માળીયા (મી)ના હરીપર પાસે કાર પલટી જતાં કાર ચાલકની પત્ની-જમાઈનું મોત: દીકરી-બે ભાણેજ સહિત ચાર સારવારમાં

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક દેવ સોલ્ટ પાસે બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ કાર ચાલકના પત્ની અને જમાઈને વધુ ગંભીર ઈજા થઈ હોવા તે બંનેના મોત નિપજ્યાં છે અને કાર ચાલક, તેની દીકરી અને બે ભાણેજને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ભુજ તાલુકાના બળદિયા ગામના રહેવાસી ગોવિંદભાઈ કલ્યાણભાઈ વેકરીયા જાતે પટેલ (૬૯) એ હાલમાં બળદિયા ગામના જ રહેવાસી કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાના પત્ની તેજબાઈ સાથે રવજીભાઈની ફોર્ચ્યુન ગાડીમાં રવજીભાઈના પત્ની સાથે તેઓ અમદાવાદના નારણપુર જવા માટે નીકળ્યા હતા અને તેઓની સાથે જ તેમના ગામે રહેતા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા તેમના પત્ની રમાબેન વેકરીયા તેમની દીકરી કનીશાબેન તથા જમાઈ પ્રકાશભાઈ લાખાણી અને બે ભાણેજ સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને તે લોકો સામખયારી પુલથી આગળ માળિયા તરફ આવી રહ્યા હતા દરમિયાન કલ્યાણભાઈની ગાડી આગળ હતી અને ફરિયાદી ગોવિંદભાઈની ફોર્ચ્યુન પાછળના આવી રહી હતી ત્યારે કલ્યાણભાઈની ગાડી આડે બાઇક ચાલક આવતા તેણે બાઈકને બચાવવા જતા પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી તેની ગાડી રોડ સાઈડના ડિવાઇડર સાથે અથડાવી હતી અને ગાડી રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી

જેથી કરીને ગાડીમાં બેઠેલ કલ્યાણભાઈના પત્ની, દીકરી, જમાઈ અને બે ભાણેજને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં લઈને આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયાના પત્ની રમાબેન કલ્યાણભાઈ વેકરીયા (૬૦) અને જમાઈ પ્રકાશભાઈ રામજીભાઈ લાખાણી (૩૫) બંનેનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું અને કાર ચાલક કલ્યાણભાઈ તથા તેની દીકરી કનિશાબેન અને બે ભાણેજને નાના મોટી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ગોવિંદભાઈ વેકરીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News