હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને અનંતની વાટ પકડી


SHARE







વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને અનંતની વાટ પકડી

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે ખેતરમાં ઝાડની ડાળી સાથે પટ્ટા વડે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના કોરાઇ ગામનો રહેવાસી અને હાલમાં ભાયાતી જાંબુડીયા ગામે આયોટા સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કોલોનીમાં રહેતા વિનયકુમાર શિવપુજનસિંહ કુર્મી (૨૨) નામના યુવાને ભાયાતી જાંબુડીયા ગામ પાસે અશ્વમેઘ હોટલ નજીક એન.બી. ઝાલાના ખેતરમાં લીમડાના ઝાડની ડાળી સાથે કમરે બાંધવાના ચામડાના પટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે અંગેની ભાવેશભાઈ ત્રીકમજીભાઈ ખોખાણી જાતે પટેલ (૩૦) રહે. અવની ચોકડી કેનાલ રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને દરમિયાન મૃતકના પરિવારજન પાસેથી પોલીસને મળેલ વિગત મુજબ યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેને આપઘાત કરવા પાછળ તે પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શક્યતા છે જેથી પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News