હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

હળવદ નજીક આવેલ કંસારી હનુમાન મંદિર પાસેથી પસાર થતી કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને કેનાલના સાઇફનમાં ફસાઇ જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું અને મૃતક યુવાનના ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે ગત તારીખ 19/2 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં હળવદ પાસે આવેલ કંસારી હનુમાન મંદિર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની શોધખોળ તરવૈયાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે 9:00 વાગ્યાના અરસામાં કંસારી હનુમાન મંદિર પાસે કેનાલના સાઈફોનમાંથી યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ઇલિયાસભાઈ અબ્બાસભાઈ અગરિયા જાતે ઘાંચી રહે. નવનિર્માણ સ્કૂલ પાછળ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News