મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

હળવદ નજીક આવેલ કંસારી હનુમાન મંદિર પાસેથી પસાર થતી કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને કેનાલના સાઇફનમાં ફસાઇ જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું અને મૃતક યુવાનના ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે ગત તારીખ 19/2 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં હળવદ પાસે આવેલ કંસારી હનુમાન મંદિર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની શોધખોળ તરવૈયાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે 9:00 વાગ્યાના અરસામાં કંસારી હનુમાન મંદિર પાસે કેનાલના સાઈફોનમાંથી યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ઇલિયાસભાઈ અબ્બાસભાઈ અગરિયા જાતે ઘાંચી રહે. નવનિર્માણ સ્કૂલ પાછળ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News