ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાનને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે રૂપિયા આપીને હવે પઠાણી ઉઘરાણી !


SHARE







મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાનને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે રૂપિયા આપીને હવે પઠાણી ઉઘરાણી !

મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે ધંધા માટે રૂપિયા લીધા હતા અને તેની સામે તેણે મૂડી અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી એચડીએફસી બેન્કના ચાર કોરા ચેક બળજબરી પૂર્વક વ્યાજખોર દ્વારા લઈ લેવામાં આવ્યા હતા અને તેમાંથી એક ચેક બેંકમાં વટાવીને ચેક રિટર્ન થતા નેગોસિબલ એક્ટ મુજબ કેસ કરીને ફરિયાદી પાસેથી વધુ રૂપિયા પડાવવા તેના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા બે શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દેવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં- ૫૦૪ માં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા કેતનભાઇ મગનભાઈ પટેલ (૩૬) નામના યુવાને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માધવભાઈ જીવણભાઈ જીલરીયા તથા જયદીપભાઇ પઢિયાર રહે બંને સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની હેમરત્ન ચેમ્બરમાં કેતન કોટન કંપની નામની દુકાન આવેલ છે અને તે રોમટિરિયલ્સ તેમજ ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરે છે તેને રૂપિયાનું જરૂર હોવાથી જયદીપભાઇ પઢીયાર મારફતે તેણે માધવભાઈ જીલરીયા પાસેથી સમયાંતરે બે વખત વ્યાજે રૂપિયા લીધા હતા જેમાં ચાર લાખ રૂપિયા ૮ ટકા વ્યાજ લેખે અને પાંચ લાખ રૂપિયા માસિક ૪૦ ટકા વ્યાજ લેખે લીધા હતા જેની સામે ફરિયાદી યુવાને ૬.૫૨ લાખ વ્યાજના તથા મૂડીના ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૯,૫૨,૦૦૦ ચૂકવી દીધા છે તેમ છતાં પણ માધવભાઈ જીલરીયાએ તેની પાસેથી એચડીએફસી બેન્કના ચાર કોરા ચેકમાં સહી કરાવી હતી અને તે પૈકીના એક ચેકને બેંકમાં વટાવીને ચેક રિટર્ન કરી નેગોશિયેબલ એક્ટ મુજબ તેની સામે કેસ કરી ફરિયાદી પાસેથી વધુ પૈસા આપવા માટે થઈને પઠાણી ઉઘરાવી કરવામાં આવી રહી છે અને તેના ટાંટિયા ભાંગી નાખવા માટેની ધમકી દેવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસની આગળની તપાસ પીએસઆઇ એસ.આઇ. પટેલ ચલાવી રહ્યા છે






Latest News