મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી
માળીયા (મી)ની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી
SHARE
માળીયા (મી)ની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી
ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી ડો. સી.વી.રામને ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ ફિઝિક્સનો સિદ્ધાંત રોમન ઈફેક્ટ આજના દિવસે દુનિયાની સમક્ષ રજુ કરેલ હોય,પબ્લિશ કરેલ હોય આજનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માળીયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી જેમાં શાળાના ધો ૬ થી ૮ નાં કુલ ૩૦ બાળકો ભાગ લીધો હતો જેમાં કુલ ૧૨ વિજ્ઞાનની કૃતિનું પ્રદર્શન શાળાના બાળકો માટે નિહાળવા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વિજ્ઞાન પ્રદર્શનનો આં શાળાના નિવૃત આચાર્ય ધીરુભાઈના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને શાળાના વિજ્ઞાન શિક્ષક સોલંકી જેમિનીબેન બાળકોની કૃતિની તમામ જહેમત ઉઠાવી હતી ત્યાર બાદ શાળાના આચાર્ય ભાવેશભાઈ બોરીચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા અધ્યક્ષ અને મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડના હસ્તે શ્રેષ્ઠ કૃતિને ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશુરભાઈ, ચેતનભાઇ અને નરેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી