મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી


SHARE











મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે ૧૦ પૈકીનાં અજંતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલે દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી વચ્ચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી છે જેની સુનાવણી આગામી તા. ૪ માર્ચના રોજ હાથ ધરશે

મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ દ્વારા વચ્ચગાળાના જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેના વકીલ મારફતે અરજી મૂકવામાં આવી છે. જેમાં હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત જે વળતર ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે તેના બેન્કિંગ કામ માટે તેઓને વચ્ચગાળાના જામીનની અરજી કરેલ છે અને આ અરજીની આગામી સુનાવણી તા. ૪ માર્ચના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News