નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ પાસે બાઈકમાંથી નીચે પટકાતાં વૃદ્ધાનું મોત


SHARE





વાંકાનેરના કણકોટ પાસે બાઈકમાંથી નીચે પટકાતાં વૃદ્ધાનું મોત

રાજકોટના ભવાની ચોક અંકુર-૮ જંગલેશ્વર ખાતે રહેતા વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને રાજકોટથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે કણકોટ નજીક ચક્કર આવતા વૃદ્ધા બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાનો નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર પાસે આવેલ ગુલશન પાર્કના રહેવાસી અને હાલમાં રાજકોટમાં ભવાની ચોક અંકુર-૮ જંગલેશ્વર ખાતે રહેતા કુલસુમબેન ગનનીભાઈ હેરંજા જાતે પીંજારા (૬૨) પોતાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને રાજકોટથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા દરમિયાન વાંકાનેર નજીક આવેલ કણકોટ ગામ પાસે કુલસુમબેન ચક્કર આવતા બાઈકમાંથી નીચે પટકાયા હતા અને જેથી કરીને તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં તેને રાજકોટ લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News