મોરબીમાં યોજાયેલ નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનો ૩૭૨ દર્દીઓએ લાભ લીધો
રામનવમીની શોભાયાત્રા સંદર્ભે આજે મોરબીમાં મહત્વની મિટિંગ
SHARE
રામનવમીની શોભાયાત્રા સંદર્ભે આજે મોરબીમાં મહત્વની મિટિંગ
મોરબી સર્વે સનાતન હિંદુ સમાજના નેજા હેઠળ આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૩૦/૩ ના રોજ મોરબી ખાતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રવિવારે રાતે ૯ વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભવન રામ ચોક ખાતે આ મિટિંગ રાખવામા આવી છે જેમાં મોરબી શહેરના તમામ મંદિરના પૂજારીઓ અને સાધુ સંતો, મોરબી શહેરની તમામ ભગિની સંસ્થાઓના પ્રમુખો અને તેમની કમિટી સભ્યો, મોરબીના તમામ ગણપતિ ઉત્સવ ના આયોજકો અને તેમની ટીમ, મોરબીની તમામ ગરબીના સંચાલકો પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓ, મોરબીના દરેક સમાજના પ્રમુખો અગ્રણીઓ અને તેમની કમિટીઓ, મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન, જ્વેલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, મેડિકલ એસોસિએશન, ડોક્ટરે એસોસિએશન, વાસણ એસોસિએશન, ક્લોથ એસોસિએશન, બુટ ચપ્પલ એસોસિએશન, પાન બીડી તંબાકુ એસોસિએશન વગેરે સંસ્થાના આગેવાનો સહિતના લોકોને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે