હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી : ડેરીમાં સાથે કામ કરતી સગીરાને ઉપાડી જનાર યુપીનો શખ્સ સગીરા સાથે નોઇડાથી પકડાયો


SHARE







મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી સગીરા સાથે નોઇડાથી ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં સાથે કામ કરતો મૂળ યુપીનો શખ્સ મોરબીની સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપી અને સગીરા નોઇડાથી મળી આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં કામ કરતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે સંજય ચંદનસિંહ યાદવ રહે. બડાગાવ જસનારા ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ નામના શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં આરોપી તથા ભોગ બનનાર સગીરા નોઇડા (યુ.પી) ખાતે હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝનની એક ટીમ દિલ્હી તેમજ નોઇડા ખાતે પહોચી હતી અને ત્યાંથી ભોગ બનનાર સગીરા તથા આરોપી મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી સગીરાને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News