મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE





વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવળીથી તીથવા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારની અંદર રહેતા ધનજીભાઈ સોમાભાઈ મેસરિયા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક લઈને ગત તા ૧૭/૧/૨૩ ના રોજ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૮૯૩ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ધનજીભાઈ મેસરિયાને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ધનજીભાઈ મેસરિયાના પત્ની કિરણબેન ધનજીભાઈ મેસરીયા (૨૭) રહે. તીથવા કુબા વિસ્તાર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાહેરનામા ભંગ

વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ યશદિપ સીરામીક નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં જયેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા રહે. વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News