હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવળીથી તીથવા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારની અંદર રહેતા ધનજીભાઈ સોમાભાઈ મેસરિયા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક લઈને ગત તા ૧૭/૧/૨૩ ના રોજ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૮૯૩ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ધનજીભાઈ મેસરિયાને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ધનજીભાઈ મેસરિયાના પત્ની કિરણબેન ધનજીભાઈ મેસરીયા (૨૭) રહે. તીથવા કુબા વિસ્તાર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાહેરનામા ભંગ

વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ યશદિપ સીરામીક નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં જયેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા રહે. વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News