હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશમાંથી ભાગેલ પ્રેમી પંખીડા મોરબીમાંથી મળી આવ્યા


SHARE







મધ્યપ્રદેશમાંથી ભાગેલ પ્રેમી પંખીડા મોરબીમાંથી મળી આવ્યા

મોરબી ખાતે આવેલ સીરામીક યુનિટોમાં કામ કરતાં મજૂરોમાંથી અનેક મજૂરો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે અને તે અટકાવવા માટે હાલમાં પોલીસ દ્વારા એસ્યોર્ડ એપ્લિકેશન બનાવીને તેમાં મજૂરોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે છતાં પણ ગંભીર ગુનાઓ આચરેલ શખ્સો મોરબીમાંથી પકડાય છે જેમાં તાજેતરમાં જ જોઇએ તો અંકલેશ્વરના ત્રીપલ મર્ડર તેમજ અપરણ-બળાત્કાર તેમજ મર્ડર સહિતના ગંભીર ગુનાઓના આરોપીઓ મોરબીમાંથી પકડાય છે.તે મુજબ હાલમાં એમપીમાંથી ભાગેલ પ્રેમી પંખીડા મોરબીમાંથી મળી આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ લીનોરા વિટ્રીફાઈડ નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મનીષ નામના શખ્સ તથા તેની સાથે ભોગ બનાર યુવતી મળી આવ્યા હતા. વધુમાં મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ઓબેદુલગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ભોગ બનનાર યુવતી તથા આરોપી મનીષ મોરબી હોવાની બાતમી મળતા એમપી પોલીસ મોરબી આવી હતી અને અહીંના જેતપર રોડ ઉપર લીનોરા વિટ્રિફાઇડ નામના યુનિટમાંથી ભોગ બનેલી યુવતી તથા આરોપી મનીષ મળી આવતા એમપી પોલીસે બંનેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી કરવા માટે એમપી લઈ ગયેલ હોવાની માહીતી મળી રહી છે. અત્રે મોરબીના ઉદ્યોગકારોએ પણ અહીં ચેતવા જેવું ખરૂ કે પોતાને ત્યાં કામ કરતા મજૂરો અંગે સંપૂર્ણ માહિતી તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા અથવા તો કારખાનેદાર દ્વારા રાખવામાં આવે તે જરૂરી બન્યુ છે અન્યથા કોઈ અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ શકે તેમ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીમાં ભારે માત્રામાં ખનીજ ચોરી થાય છે ત્યારે કાગળ ઉપર કામગીરી દર્શાવવા માટે સમયાંતરે કેસ કરવામાં આવે છે તે હકીકત છે.દરમ્યાનમાં મોરબી ખાણ ખનીજ વિભાગના જી.કે.ચંદારાણા દ્વારા રફાળેશ્વર રોડ ઉપરથી પસાર થતા જીજે ૧૨ એઝેડ ૫૫૮૨નંબરના ડમ્પરમાં ૨૬ મેટ્રિક ટન ખનીજ ભરેલ હોય અને તે અંગે આધાર પુરાવા માંગતા ચાલક પાસે ખનીજ અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાના લીધે ખનીજ તેમજ ટ્રક ડમ્પર એમ કુલ મળીને રૂા.૨૦ લાખના મુદામાલને જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે વાહનને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું. જ્યારે ખાણ ખનીજ વિભાગના રવિ કણસાગરા દ્વારા નંબર પ્લેટ વગરનું ડમ્પર નીચી માંડલ ગામ પાસેથી પકડવામાં આવ્યું હતું અને ડમ્પરના ચાલક દેવા હીરાભાઇ સેફાત્રામીર રહે.ખેતરડી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબીને દંડ વસૂલવા માટે મેમો ફટકારવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે જો ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ, પોલીસ, મામલતદાર અને કલેક્ટર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તો મોરબીમાંથી ખાણ ખનીજ સંદર્ભે સરકારને લાખોની નહીં કરોડોની રેવન્યુની આવક થાય તેમ છે પરંતુ અહીંના સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને મલાઈ તારવવામાં આવતી હોય તેવો ઘાટ હોવાના લીધે સરકારની તિજોરીમાં મસ મોટું ગાબડુ પડી રહ્યું છે તે નવી વાસ્તવિકતા છે






Latest News