હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

પોલીસનો ડર કયાં..?! : મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE







પોલીસનો ડર કયાં..?! : મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી પાસે છકડો રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ આધેડ દ્વારા સારવાર લીધા બાદ ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ બટુકદાસ રામાનુજ જાતે બાવાજી નામના ૫૦ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સાગર સોમભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક રહે.કારીયા સોસાયટી વાવડી રોડ, છકડો રીક્ષા નંબર જીજે ૧૩ એટી ૨૪૬ નો ચાલક તેમજ એક અજાણ્યો ઈસમ એમ ત્રણની સામે ફરિયાદ નોંધાવ જણાવ્યું હતું કે તેઓએ સામેવાળાઓને રીક્ષા સાઈડમાં લેવાનું કહ્યું હતું જેથી સામેવાળાઓએ તેઓ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઠીકાપાટુ વડે મૂઢમાર માર્યો હતો હાલ ફરિયાદ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા શોભેશ્વર રોડ ખાતે રહેતા આરીફ અબ્દુલભાઈ મૌવા નામના ૨૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, આરીફ અબ્દુલભાઈ નામનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે ત્યાંથી મોરબીના વીસીપરામાં રહેતા અજય દેવીપુજક નામનો શખ્સ ટ્રેક્ટર લઈને નીકળ્યો હતો અને ત્યારે કોઇ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં થયેલ મારામારીમાં ઈજા થતા આરીફને સારવાર ખસેડવામાં આવ્યો હતો.






Latest News