મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી  મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે


SHARE





આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી  મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે
 
મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં જેની ધર્મની ધજા હેઠળ મંદિરની આવકમાંથી સમૂહ લગ્ન, દવાખાનું, ગાયોને ઘાસચારો, નવરાત્રી મહોત્સવ, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, સહિત  સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે તે મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવાનું આયોજન તા ૩૧-૩ ને શુક્રવારે કરાયું છે.
 
સવારે શુભ ચોઘડીએ થાંભલી રોપણ સાંજે  ૫:૩૦ વાગ્યે ભુવાશ્રીના સામૈયાને સાંજે ૬ વાગે મહાપ્રસાદ રાત્રે ૯:૩૦ વાગ્યે ડાકલાની રમઝટ જેમાં રાવળદેવ મિલનભાઈ ને કાથળભાઈ (મોટી જોગણીવાળા) માતાજીના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે.માતાજીના ભુવા જીવણભાઈ ગરીયા, દેવાભાઈ ધીરુભાઈ, મનુભાઈ ગોવિંદભાઈ, બાબુભાઈ, સહિત ઉપસ્થિત રહેશે ધર્મપ્રેમી જનતાને માંડવાના દર્શનને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી ધક્કાવાળી મેલડી મંદિર તરફથી આમંત્રણ પાઠવ્યું છે.



Latest News