મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટરે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટરે અંતિમ પગલું ભરી લેતા મોત 

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કરલે છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર જય મનોજભાઈ ખોરજા (૩૦) નામના યુવાને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે તેની સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં અંદર રહેતા હેમંતભાઈ નરશીભાઈ કાપડિયા (૬૪) નામના વૃદ્ધને અગમ્ય કારણોસર વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

આધેડનું મોત

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા દેવજીભાઈ કમાભાઈ ચાવડા (૫૫)ને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News